ટોપ ન્યૂઝનેશનલ

મતદાનના ડેટામાં વિલંબ અંગેની ADRની અરજી પર સુપ્રીમે EC પાસે માગ્યો જવાબ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે મતદાન પછી તરત જ અધિકૃત મતદાન ટકાવારી જાહેર કરવા માટે ADR દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો હતો. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડના નેતૃત્વ હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચે ચૂંટણી પંચને અરજીનો જવાબ આપવા માટે 24 મે સુધીનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટે શુક્રવારે (17 મે) સાંજે 6.30 વાગ્યે એનજીઓ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી હતી જેમાં 48 કલાકની અંદર મતદાનની ટકાવારીનો ડેટા વેબસાઇટ પર અપલોડ કરવાની માંગણી કરવામાં આવી હતી. NGOએ આ અંગે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

આજની સુનાવણી બાદ CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે 48 કલાકની અંદર વેબસાઈટ પર વોટિંગ ટકાવારીના ડેટા અપલોડ કરવાની માંગ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. બેન્ચે આ માટે કમિશનને એક સપ્તાહનો સમય આપ્યો છે.

CJIએ કહ્યું કે ચૂંટણી પંચને અરજીનો જવાબ આપવા માટે યોગ્ય સમય આપવો જોઈએ. લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાનના એક દિવસ પહેલા, 24 મેના રોજ ઉનાળાના વેકેશન દરમિયાન યોગ્ય બેંચ સમક્ષ સુનાવણી માટે તેને સૂચિબદ્ધ કરવું જોઈએ.

ગયા અઠવાડિયે, ADR એ તેની 2019 પીઆઈએલ માં એક વચગાળાની અરજી કરી હતી જેમાં ચૂંટણી પેનલને નિર્દેશ આપવામાં આવ્યો હતો કે તે સુનિશ્ચિત કરવા માટે કે તમામ મતદાન કેન્દ્રોના ફોર્મ 17 C ભાગ-1 (રેકોર્ડ થયેલા મતોનું એકાઉન્ટ) ની સ્કેન કરેલી નકલ મતદાન પછી તરત જ અપલોડ કરવામાં આવે.

એનજીઓએ દલીલ કરી હતી કે ચૂંટણીની અનિયમિતતાઓ લોકશાહી પ્રક્રિયાને અસર ન કરે તે સુનિશ્ચિત કરવા માટે અરજી દાખલ કરવામાં આવી હતી. એનજીઓ વતી એડવોકેટ પ્રશાંત ભૂષણે આ મામલે તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી.

આ મામલે એડવોકેટ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે ‘ડેટાએ ઘણી ચિંતા ઊભી કરી છે. અમે ઇચ્છીએ છીએ કે ચૂંટણી પંચ મતદાન અધિકારી પાસેથી માહિતી મેળવીને વેબસાઇટ પર મૂકે. રિટર્નિંગ ઓફિસર દરેક પોલિંગ એજન્ટને ડેટા આપે છે.

તેના પર CJIએ ચૂંટણી પંચને પૂછ્યું કે, ‘આ ડેટા આપવામાં વાંધો શું છે?’ ECએ સુપ્રીમ કોર્ટને કહ્યું, ‘આ રાતોરાત ન થઈ શકે.’ ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડવોકેટ અમિત શર્માએ CJIને કહ્યું, ‘ડેટાને તમામ સ્તરે તપાસવાની જરૂર છે અને તેમાં સમય લાગે છે. કેટલીક અસંગતતા હોઈ શકે છે. અમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે ડેટામાં કોઈ મિસમેચ ન થાય.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker