આદિત્ય ઠાકરે કહે છે ‘મુદ્દાને ભાષાકીય રંગ ન આપો’ | મુંબઈ સમાચાર

આદિત્ય ઠાકરે કહે છે ‘મુદ્દાને ભાષાકીય રંગ ન આપો’

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ : ત્રણ માણસો જેઓ કથિત રીતે મરાઠી બોલતા નથી તેમને શિવસેના (યુબીટી)ના કાર્યકરો દ્વારા મરાઠીમાં બોલવાનું કહેવામાં આવે છે. આ વીડિયો બંધ રૂમમાં શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદ રાજન વિચારેની હાજરીમાં ફિલ્માવવામાં આવ્યો હતો અને પછીથી શેર કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓને એક ઓફિસમાં લાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. શિવસેના (યુબીટી)ના નેતાની સામે જેમની મારપીટ કરવામાં આવી હતી તેમના નામ શન્મુખ પૂજારી, સૌરભ જયસ્વાલ અને જયંતિલાલ પુરોહિત હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે, શિવસેના (યુબીટી) ના વિધાનસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ વિવાદ ‘મરાઠી-બિન-મરાઠી’ મુદ્દા સાથે જોડાયેલો નથી. ‘ફોન ચાર્જ કરવા અંગે એક દુકાનમાં મતભેદ બાદ ઝઘડો થયો હતો. આનો એફઆઈઆરમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેનો બંને પક્ષોની ભાષા સાથે કોઈ સંબંધ નથી. હું બધાને વિનંતી કરું છું કે તેને ભાષાના કોઈપણ વિવાદનો રંગ ન આપો.’

આ પણ વાંચો: મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ

જોકે, શિવસેના (યુબીટી)ના ભૂતપૂર્વ સાંસદની ઓફિસમાં ત્રણ બિનમરાઠીઓને મારપીટ કરવામાં આવી તેની કોઈ નિંદા તેમણે કરી નહોતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button