આમચી મુંબઈ

દરિયાનું પાણી શહેરમાં ઘૂસતું અટકાવવા 20 સ્થળે ફ્લડ ગેટ બેસાડાશે, ફાયદો ક્યારે થશે?

મુંબઈ: મુંબઈમાં ૨૬મી મેના રોજ પડેલા વરસાદમાં મંત્રાલય, કેઇએમ હોસ્પિટલ જેવા નવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જોરદાર વરસાદ પડી રહ્યો હોય અને તે સમયે ભરતી પણ હોય ત્યારે સમુદ્રનું પાણી નાળા દ્વારા શહેરમાં દાખલ થાય છે. આ સમુદ્રના પાણીને રોકવા માટે વીસ જગ્યાએ ફલ્ડ ગેટ બેસાડવાની પાલિકાની યોજના છે. આ માટે ટૂંક સમયમાં ટેન્ડર બહાર પાડવામાં આવશે જેનો ફાયદો આવતા વર્ષે ચોમાસામાં થશે.

ચોમાસું બેસવાના પહેલા જ દિવસે મુંબઈમાં ઠેકઠેકાણે પાણી ભરાયા અને પાલિકા દ્વારા નાળાની સફાઇ કરાઇ હોવાના દાવાઓ પોકળ સાબિત થયા. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હિંદમાતા, મિલન સબવે, ગાંધી માર્કેટ એમ દર વર્ષે આ જગ્યાએ પાણી ભરાય છે.

આપણ વાંચો: કોસ્ટલ રોડ કે સાઈડ ઈફેક્ટઃ …તો ચોમાસામાં મુંબઈમાં પાણી નહીં ભરાય…

આ સિવાય મંત્રાલય, મેટ્રો વિસ્તાર, કેઇએમ હોસ્પિટલ, વરલી નાકા, જે. જે. ફ્લાયઓવર નીચે અને કોલાબાના અમુક વિસ્તારમાં પહેલી જ વખત પાણી ભરાયા. ૨૬મી મે રોજ પડેલા વરસાદમાં પાણી ભરાવાના વધુ ૮૦ વિસ્તાર મળી આવ્યા. આ નવી જગ્યાઓ મળવાની સાથે પાલિકાએ પાણી ભરાવાનું કારણ પણ શોધવાનું શરૂ કર્યું.

પાણીનો નિકાલ કરવા માટે પંપ વધારવાનું પાલિકાએ નક્કી કર્યું તથા ફ્લેટ ગેટ બેસાડવાનો પણ નિર્ણય લેવાયો. અંદાજે વીસ જગ્યાએ ફ્લટ ગેટ બેસાડવામાં આવશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button