મહારાષ્ટ્ર

એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટનું શું: પંકજા મુંડેનો સવાલ?

છત્રપતિ સંભાજીયાનગરઃ મહારાષ્ટ્રમાં અમારી પાર્ટીએ અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) સાથે જોડાણ કર્યા પછી તેમના મતવિસ્તાર પર પ્રશ્નાર્થ ચિહ્ન છે, એમ ભાજપ (ભારતીય જનતા પાર્ટી)નાં નેતા પંકજા મુંડેએ જણાવ્યું હતું.

મુંડે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પરલીથી પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા ધનંજય મુંડે સામે હારી ગયા, જેઓ હવે એકનાથ શિંદે સરકારમાં પ્રધાન છે, જેમાં ભાજપનો પણ સમાવેશ થાય છે. બીડ લોકસભા બેઠક વિશે બોલતા, જેનું પ્રતિનિધિત્વ તેની બહેન પ્રિતમ મુંડે છેલ્લા બે ટર્મથી કરી રહી છે.

રાજ્યના ભૂતપૂર્વ પ્રધાને કહ્યું હતું કે તેમણે સારું કામ કર્યું છે. પરંતુ એનસીપી સાથે ગઠબંધન પછી, સ્વાભાવિક રીતે જ મારા મતવિસ્તાર પર એક પ્રશ્નચિહ્ન છે. બીડમાંથી ઉમેદવાર કોણ છે તે મહત્વનું નથી, હું સ્ટાર પ્રચારક બનીશ. હું ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સ્ટાર પ્રચારક રહી છું, એમ પણ તેમણે જણાવ્યું હતું. ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે નિયુક્ત કરાયેલા મુંડે મહાનગરમાં કાંદિવલીમાં પાર્ટીના મુંબઈ ઉત્તર કાર્યાલયની મુલાકાત લીધા બાદ પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

ભાજપમાં આ એક પેટર્ન છે, જ્યાં નેતાઓને નિરીક્ષક (વિવિધ સીટોના) બનાવવામાં આવે છે. અમે રિપોર્ટ સબમિટ કરીએ છીએ અને પાર્ટી રિપોર્ટના આધારે (સીટ પર) નિર્ણય લે છે, એમ તેમણે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…