મહારાષ્ટ્ર

રાજ ઠાકરે બનશે શિવસેના સુપ્રીમો? મહારાષ્ટ્ર નવનિર્માણ સેના શિવસેનામાં વિલીન થાય તેવી શક્યતા

મુંબઈ: દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના કેન્દ્રીય નેતૃત્વ સાથે ચર્ચા, ચોવીસ કલાકમાં બે વખત નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ચર્ચા અને મહાયુતિના બધા જ નેતાઓ તરફથી આપવામાં આવી રહેલા નિવેદનોથી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના મહાયુતિમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા જણાઇ રહી છે. જોકે, આવામાં એક અત્યંત ચોંકાવનારી માહિતી મળી રહી છે. રાજ ઠાકરેની મનસે અને એકનાથ શિંદેની શિવસેના બંને પક્ષો એક થઇ શકે તેવી માહિતી મળી રહી છે. માત્ર એટલું જ નહીં, મનસેનું શિંદેની સેનામાં વિલીનીકરણ થાય ત્યારબાદ રાજ ઠાકરેને

રાજ ઠાકરેની અમિત શાહ સાથે શિંદે-ફડણવીસ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થઇ. અમિત શાહ સાથે દિલ્હીમાં 40 મીનિટ સુધી ચર્ચા થઇ અને ત્યારબાદ મુંબઈ પાછા આવીને સૌપ્રથમ ફડણવીસ સાથે અને બીજા દિવસે ફાઇવ સ્ટાર હોટેલમાં શિંદે અને ફડણવીસ બંને સાથે બેઠક યોજી. આ બેઠકમાં તેમને મનસેનું શિંદેની શિવસેના સાથે વિલીનીકરણ કરીને તેના અધ્યક્ષ બનવાનો પ્રસ્તાવ આપ્યો હોવાના અહેવાલ છે. રાજ ઠાકરે સમક્ષ ત્રણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યા હોવાનું કહેવાય છે. પહેલો પ્રસ્તાવ શિવસેનામાં મનસેનું વિલીનીકરણ કરીને તેના અધ્યક્ષ બનવાનો મૂકાયો હોવાના અહેવાલ છે. જ્યારે બીજો વિકલ્પ લોકસભામાં મહાયુતિને સમર્થન આપીને વિધાનસભામાં સન્માનજનક બેઠકો મેળવવાનો અપાયો હતો. આ ઉપરાંત ત્રીજો વિકલ્પ લોકસભાની ચૂંટણીમાં એક-બે બેઠકો લઇને વિધાનસભામાં ઓછી બેઠકો મેળવવાનો આપવામાં આવ્યો હોવાનું એક અખબારના અહેવાલમાં જણાવાયું છે.

રાજ ઠાકરે સાથે થયેલી બેઠકમાં ફક્ત આ લોકસભાની ચૂંટણી માટે તેમનું સમર્થન મેળવવા અથવા તેમની સાથે જોડાણ કરવા પૂરતી જ ચર્ચા કરવામાં આવી નથી. લાંબા સમય સુધી રાજ ઠાકરેને મહાયુતિ સાથે રાખી શકાય એ માટેના વિકલ્પો માટે ચર્ચા કરવામાં આવી હતી અને એ માટે જ પ્રયત્નો શરૂ છે.

રાજ ઠાકરે શિવસેનાથી છૂટા પડ્યા ત્યારે જ મૂળ શિવસેનાની શક્તિ ઓછી થઇ હતી. હવે તેમાં એકનાથ શિંદેએ પણ શિવસેનાથી છેડો ફાડીને શિવસેનાનું નામ અને પક્ષનું ચિન્હ મેળવ્યું. હવે જો રાજ અને શિંદે એક થઇ જાય તો ઉદ્ધવ ઠાકરે માટે આગળનો રસ્તો વધુ મુશ્કેલ બને તેવી શક્યતા છે. આ ઉપરાંત જો રાજ મહાયુતિમાં સામેલ થાય તો ઉદ્ધવ ઠાકરે માટે મહાયુતિના દરવાજા હંમેશા માટે બંધ થઇ જશે તેવી ચર્ચા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning