ખેદ હૈ: કોંકણ રેલવેની ટ્રેનો ચાર-પાંચ કલાક મોડી, કોંકણવાસીઓમાં નારાજગી...
મહારાષ્ટ્ર

ખેદ હૈ: કોંકણ રેલવેની ટ્રેનો ચાર-પાંચ કલાક મોડી, કોંકણવાસીઓમાં નારાજગી…

મુંબઈ: આવતીકાલથી શરૂ થનારા ગણેશોત્સવનો ઉત્સાહ સમગ્ર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. કોંકણમાં પણ કંઇક આવો જ માહોલ છે. આથી ઘણા મુંબઈગરાઓ ગણેશોત્સવ દરમિયાન કોંકણ પોતાના ગામડે જવાનું પસંદ કરે છે.

આ કારણે કોંકણ જતી ટ્રેનોમાં એસટી અને ખાનગી બસોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. આટલું ઓછું હોય તેમ કોંકણ જતી એસટી બસ અને ટ્રેનો મોડી દોડવાને કારણે લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી.

કોંકણ રેલવેએ આ વર્ષે ગણપતિ નિમિત્તે ઘણી ટ્રેનો છોડી છે, પરંતુ મોટાભાગની ટ્રેનો મોડી ચાલી રહી છે. કોંકણ રેલવે વેબસાઇટ પરના લાઇવ ટ્રેકર મુજબ, આઠથી દસ ટ્રેન એકથી પાંચ કલાક મોડી ચાલી રહી છે.

ગણેશોત્સવ નિમિત્તે, કોંકણ રેલવે સ્પેશિયલ ટ્રેનો ચલાવી રહી છે. મુસાફરોના વધતા ધસારાને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ટ્રેનોને કોલાદ, માનગાંવ, વીર, ખેડ, ચિપલુણ, સાવરદા, સંગમેશ્વર રોડ, રત્નાગિરી, કંકવલી, કુડાલ, સાવંતવાડી રોડ, મડગાંવ જંકશન, કારવાર અને ઉડુપી જેવા મુખ્ય સ્ટેશન અને કેટલાક અન્ય નાના ગામડાઓમાં હોલ્ટ આપવામાં આવ્યા છે. ઘણા બધા હોલ્ટ અને વધુ ટ્રેનો દોડવાને કારણે, ટ્રેક પર તણાવ આવવાથી ટ્રેનો મોડી દોડી રહી છે.

આ પણ વાંચો…આ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે ભારતીય રેલવેએ કેટલી દોડાવી સ્પેશિયલ ટ્રેન?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button