આમચી મુંબઈમહારાષ્ટ્ર

સરકાર સામે નમતું જોખ્યું જરાંગેએ…પણ આપ્યું બીજી જાન્યુઆરી સુધીનું અલ્ટીમેટમ

મુંબઈઃ મરાઠા આરક્ષણની માંગણી માટે છેલ્લાં નવ દિવસથી ઉપોષણ કરી રહેલાં મનોજ જરાંગેએ આખરે સરકાર સામે નમતું જોખ્યું છે. સરકારે જરાંગેને બે મહિનામાં આ મરાઠા આરક્ષણના મુદ્દાને ઉકેલવાના આશ્વાસન બાદ બંધ કર્યું છે.
રાજ્યના ચાર પ્રધાનોએ આંદોલનનવા સ્થળે જઈને જરાંગેને ઉપોષણ તોડવા માટે વારંવાર વિનંતી કરતાં આખરે જરાંગેએ ઉપોષણ ખતમ કરવાનો નિર્ણય લીધો હતો. સરકાર દ્વારા જરાંગેને એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આઠમી ડિસેમ્બરના મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણને લઈને ચર્ચા કરવામાં આવશે.

સામે પક્ષે જરાંગેએ પણ જ્યાં સુધી દરેક મરાઠાને આરક્ષણ નહીં મળે ત્યાં સુધી તે પોતાના ઘરમાં પગ નહીં મૂકે. જો સરકાર બે માહિનામાં મરાઠા આરક્ષણને લઈને કોઈ નિર્ણય નહીં લે તો જરાંગેએ પાછું મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવશે એવી ચિમકી ઉચ્ચારી હતી. મહારાષ્ટ્રના ચાર પ્રધાને જરાંગેની મુલાકાત લઈ તેમના આ નવ દિવસથી ચાલતાં આમરણ ઉપોષણને સમાપ્ત કરવાની વિનંતી કરી હતી અને જરાંગેએ ઉપવાસ પૂરા કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…