મહારાષ્ટ્ર

“જો ED અને CBI પીડાને ખતમ કરવા માંગતા હોય, તો…”, પૃથ્વીરાજ ચવ્હાણે આપ્યું મહત્ત્વનું નિવેદન

જો ઇડીના કેસ, સીબીઆઈ અને કેન્દ્રીય એજન્સીઓની તપાસની પીડા અથવા ભંડોળની અયોગ્ય ફાળવણીને સમાપ્ત કરવા માંગતા હોય તો ભાજપ સરકારને ઉથલાવવી આવશ્યક છે એમ જણાવતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આની  શરૂઆત લોકસભાની ચૂંટણીથી થશે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે એમ પણ કહ્યું હતું કે જો લોકસભામાં હાર થશે તો વિધાનસભામાં કોઈ પડકાર નહીં હોય. તેઓ પુણેમાં પત્રકારોને સંબોધી રહ્યા હતા.

મહાવિકાસ આઘાડીમાં છે વિવાદ? મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણીને મુદ્દે વિવાદ છે એવો સવાલ કરવામાં આવ્યો ત્યારે પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું કે, “શિવસેના (ઠાકરે જૂથ), NCP (શરદ પવાર જૂથ), કોંગ્રેસ અને કેટલાક પક્ષો ઈન્ડિયા આઘાડીના નેતૃત્વમાં સાથે મળીને ચૂંટણી લડશે. અમે ભાજપ સામે એક ઉમેદવાર ઉભો રાખીશું. મહારાષ્ટ્રમાં સીટની વહેંચણી માટે ત્રણેય પક્ષો સાથે બેસીને ચર્ચા કરશે.


“દરેક જણ પોતપોતાની પાર્ટીઓની તાકાત વધારવાનો પ્રયત્ન કરશે. તો થોડો વિવાદ થશે. પરંતુ, ED કેસ, સીબીઆઈ તપાસ અથવા ભંડોળની અયોગ્ય ફાળવણીને સમાપ્ત કરવા માટે ભાજપને સત્તા પરથી નીચે ખેંચી નાખવી પડશે. તેની શરૂઆત લોકસભાથી થશે. જો લોકસભામાં ભાજપની હાર થાય તો વિધાનસભામાં કોઈ પડકાર રહેશે નહીં,” એમ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું.


જો આપણે લોકસભામાં હાર સ્વીકારવી પડશે તો વિધાનસભાની ચૂંટણી નહીં થાય. કારણ કે, મને ખાતરી છે કે ફરીથી લોકશાહી નહીં આવે, ”એમ પણ પૃથ્વીરાજ ચવ્હાણે કહ્યું હતું.


ડ્રગ્સના કેસમાં પકડાયેલા આરોપી લલીત પાટીલે કહ્યું હતું કે ‘હું ભાગ્યો નહોતો, પણ મને ભગાડવામાં આવ્યો હતો’. જ્યારે પૃથ્વીરાજ ચવ્હાણને આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, તેલગી કેસમાં ઘણા મોટા નેતાઓના નામ સામે આવ્યા હતા. બાદમાં તે મામલો દબાવી દેવામાં આવ્યો હતો. તેમજ સત્તામાં રહેલી સરકાર આ બાબતને દબાવી દેશે. કારણ કે કેટલાક પ્રધાનો આમાં સામેલ હોવાનું કહેવાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…