ભારતની વીરાંગનાઓ : જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા આશાપૂર્ણા દેવી…

- ટીના દોશી
`અમાં કુટુંબ અત્યંત રૂઢિચુસ્ત હતું. કડક નિયંત્રણોવાળું. છોકરીઓને શાળાએ મોકલવાનો રિવાજ નહોતો. ક્નયાને ભણાવવા પર પ્રતિબંધ હતો. એથી મને નિશાળે જવાનું નસીબ પ્રાપ્ત ન થયું. અમે કુલ આઠ ભાઈબહેન હતાં. અત્યંત સાધારણ જીવન હતું. ભાઈઓ તો અભ્યાસ કરતા, પણ અમાં તો બાર વર્ષની ઉંમરથી ઘરની બહાર નીકળવાનું બંધ થઈ ગયેલું….’
વીસમી સદીના આરંભે જન્મેલી કોઈ પણ સ્ત્રી માટે આ પ્રકારનો સામાજિક પરિવેશ નવી નવાઈનો નહોતો. સ્ત્રીનું આખુંય આયખું આવા પરિવેશમાં વીતી જાય. પણ આવા સામાજિક વાતાવરણની સીડી પર ચડીને એક સ્ત્રીએ ચીલો ચાતર્યો અને સાહિત્યમાં સર્વોચ્ચ ગણાતા જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરીને સિદ્ધિ હાંસલ કરી !
એમનું નામ આશાપૂર્ણા દેવી… બંગાળી ભાષાનાં ઉત્કૃષ્ટ સાહિત્યકાર. નવલિકા લેખિકા અને નવલકથાકાર તરીકે જાણીતાં. બાળસાહિત્ય, કિશોરસાહિત્ય, ટૂંકી વાર્તાના સંગ્રહો અને નવલકથાઓ સહિત બસ્સો કરતાં પણ વધુ કૃતિઓનાં રચનાકાર. સાહિત્યસર્જન બદલ કેટલાંયે પુરસ્કારોથી એમને નવાજવામાં આવ્યાં.
આ પણ વાંચો: લાફ્ટર આફ્ટર : વજન વજનનું કામ કરે…
1954માં કોલકાતા વિશ્વવિદ્યાલય તરફથી લીલા પુરસ્કાર, 1964માં રવીન્દ્ર પુરસ્કાર, 1966માં ભુવનમોહિની દાસી સુવર્ણચંદ્રક, 1966માં પશ્ચિમ બંગાળ સરકારનો બૂંદ મેમોરિયલ પુરસ્કાર, 1976માં ભારત સરકાર તરફથી ચોથો સર્વોચ્ચ પુરસ્કાર પદ્મશ્રી અને આ જ વર્ષમાં પ્રથમ પ્રતિશ્રુતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર, 1988માં બંગીય સાહિત્ય પરિષદનો હરનાથ ઘોષ પદક અને 1993માં કોલકાતા વિશ્વવિદ્યાલય તરફથી જગતરાની સુવર્ણચંદ્રક… આ બધાં સન્માનો પ્રતિષ્ઠિત હતાં, પણ સૌથી પ્રતિષ્ઠિત સન્માન એટલે જ્ઞાનપીઠ પુરસ્કાર. પુરસ્કારોના મુગટમાં જ્ઞાનપીઠે મોરપીંછ બનીને શોભા વધારી. જ્ઞાનપીઠનું મહત્ત્વ એટલાં માટે પણ હતું કે, આશાપૂર્ણા દેવી આ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા હતાં!
આશાપૂર્ણા દેવી પશ્ચિમ બંગાળના કોલકાતામાં 8 જાન્યુઆરી 1909ના અત્યંત રૂઢિચુસ્ત કુટુંબમાં જન્મેલાં. માતા સરોલા દેવી. પિતા હરેન્દ્રનાથ ગુપ્ત ચિત્રકાર હતા. હરેન્દ્રનાથના અન્ય ચિત્રકાર મિત્રો પણ હતા. એ સહુ પ્રસંગોપાત હરેન્દ્રનાથને ઘેર આવતા. પિતાને કારણે આશાપૂર્ણા દેવી કલાકારોનાં દર્શન કરી શક્યાં, જયારે માતાએ દીકરીનો પરિચય સાહિત્યસૃષ્ટિ સાથે કરાવ્યો. આશાપૂર્ણા દેવીના શબ્દોમાં કહીએ તો : `મારી માનો સાહિત્યપ્રેમ અદભુત હતો.
માનું પુસ્તકવાંચન એટલે કુંભકર્ણની ભૂખ…’ માનો આ વાંચનશોખ આશાપૂર્ણામાં સાંગોપાંગ ઊતર્યો. એમને શાળાએ જવા પર પ્રતિબંધ હતો. એમના ભાઈઓ જ્યાં વાંચતા લખતા હોય ત્યાં એ ચૂપચાપ બેસી રહેતાં અને જે કંઈ જોતાં, સાંભળતાં એને ગ્રહણ કરતાં તે જ તેમનું ભણતર. જોકે દીકરીઓને લખવા વાંચવાની છૂટ હતી. અભ્યાસ ઘરમાં જ થતો. એને પગલે આશાપૂર્ણા વાંચ્યા કરતાં.
દરમિયાન, આશાપૂર્ણા દેવીનાં લગ્ન માટે મુરતિયાઓ જોવાનું શરૂ થયું. જોકે સાહિત્ય અને સંસાર સિવાય આશાપૂર્ણાના જીવનમાં બીજું કશું આકર્ષણ નહોતું. એમની તીવ્ર ઝંખના તો ઘણાં બધાં પુસ્તકો વાંચવાની હતી. પ્રવાસ કરવાની પણ. એટલે જ લગ્નની વાત ચાલતી હતી, ત્યારે આશાપૂર્ણાને એમ થતું કે, જો મારો પતિ ગ્રંથાલયનો વડો હોય તો બહુ સાં; ઘણાં પુસ્તકો વાંચવાની સગવડ થાય. વળી પાછું એમ પણ થાય કે જો રેલવેમાં અમલદાર હોય તો પણ કંઈ ખોટું નહીં; સારી પેઠે પ્રવાસ ખેડી શકાશે…. પણ પત્તાના મહેલની જેમ સપનું તૂટી પડ્યું.
આશાપૂર્ણાના પતિ કાલિદાસ ગુપ્ત બેમાંથી એકેય નહોતા. એ તો બેન્કના કર્મચારી હતા. એથી લેખનવાંચન જ એકમાત્ર આધાર રહ્યો. ઘરની ચાર દીવાલો વચ્ચે રહેતાં આશાપૂર્ણાનું જગત બારીમાંથી જે દેખાય તે હતું. રૂઢિચુસ્ત ઘરની દીકરી અને એવા જ રૂઢિચુસ્ત ઘરની વહુ હતાં, એથી પરિચિત જગતની બહાર પગ મૂકવાનું દુ:સાહસ ક્યારેય ન કર્યું. છતાં વાંચનના શોખને પગલે વિચારવિશ્વ વિસ્તરતું રહ્યું.
કુશળ ગૃહિણી તરીકે ઘરનું કામ આટોપીને આશાપૂર્ણા દેવી પોતાનો લેખન અને વાંચનનો શોખ પૂરો કરતાં. એમાં સારી પેઠે સફળતા પણ મળી. બીજા કશાનું એવું આકર્ષણ નહોતું. ઈચ્છાનુસાર પ્રવાસે જતાં રહેતાં. માતૃભાષા ઉપરાંત બંગાળી અનુવાદ પરથી વિદેશી સાહિત્યનો આસ્વાદ લઈ શકાયો. અનુવાદ હાથમાં આવતાંવેંત ધ્યાનથી વાંચી જતાં. વાંચતાં એમ થતું કે પરિવેશ, દેશકાળ, પાત્રો, વગેરે ભલે ભિન્ન હોય તોયે અંદરથી તો બધા માણસ સરખા છે. બહોળું વાંચન દિલોદિમાગમાં ઘૂંટાતું ને ઘોળાતું રહ્યું. જે જોયું, એ જોઈને મનમાં જે પ્રતિભાવ જાગ્યો, તે લખતાં રહ્યાં.
આશાપૂર્ણા દેવીએ લેખિકા જીવનનો આરંભ બાળ અને કિશોર સાહિત્યની રચનાથી કરેલો. એમાં મુખ્યત્વે કાવ્યો તથા વાર્તાઓ હતાં. ઉંમરલાયક વાચકો અને યુવાનો તથા તે પછીની પેઢીના વાચકો 1937માં લખેલી એમની પ્રથમ વાર્તા `પત્ની ઓ પ્રેયસી’ આનંદબજાર પત્રિકાના પૂજા અંકમાં પ્રકાશિત થયેલી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ જલ ઓ આગુન 1940માં પ્રગટ થયો. પહેલી નવલકથા પ્રેમ ઓ પ્રયોજન 1945માં પ્રગટ થઈ. આમ બીજા વિશ્વયુદ્ધના સમયથી એમની સર્જનપ્રવૃત્તિ વેગવંતી બની. 13 જુલાઈ 1995ના એમનું અવસાન થયું ત્યાં સુધીમાં એમની એકસો એંસી નવલકથાઓ, હજાર ઉપરાંત વાર્તાઓ તથા સોળ બાળસાહિત્યની પુસ્તિકાઓ પ્રગટ થયેલી.
આ પણ વાંચો: નિવૃત્તિમાં કઈ પ્રવૃત્તિ તમને સૌથી વધુ જીવંત રાખે?
આશાપૂર્ણા દેવીની નવલકથાઓની વિશેષતા એ છે કે એમાં બધી સમસ્યાઓ તથા સંબંધો અથવા નાનાંમોટાં આંદોલનોને સડકો પર નહીં, પણ ઘરની ચાર દીવાલોની અંદર રાખીને એનો ઉકેલ દર્શાવાયો છે. એમની વાર્તાઓમાં પુષ પાત્રોની તુલનામાં સ્ત્રીઓને અધિક પ્રાધાન્ય અપાયું છે. આટઆટલી નવલિકાઓ અને નવલકથાઓ લખી હોવા છતાં, એમની પાત્રસૃષ્ટિ તથા કથાવસ્તુમાં પ્રચુર વૈવિધ્ય છે. એ સંદર્ભમાં આશાપૂર્ણા દેવીએ જ્ઞાનપીઠ પુરસ્કાર સ્વીકારતી વખતે કહેલું કે, `પ્રત્યેક પળે મને એવું લાગે છે કે હું નથી લખી રહી, જાણે કોઈ મારી પાસે લખાવી રહ્યું હોય. મને એવું લાગ્યા કરે છે કે સ્વયં સરસ્વતી દેવી મારી પાસે લખાવે છે. હું સરસ્વતી માતાની સ્ટેનોગ્રાફર છું. એ જે લખાવે છે એ જ હું લખું છું!’