લાડકી
ફોકસઃ પરણ્યા એટલે…

ઝુબૈદા વલિયાણી
આપણા ધર્મમાં જે સોળ સંસ્કાર ગણાવ્યા છે તેમાંનો એક અગત્યનો સંસ્કાર `વિવાહ-સંસ્કાર’ છે.
-વૈદિક મંત્રોથી સુસંસ્કૃત બનેલાં પતિ-પત્ની બીજા જન્મે પણ આ દૃઢ સૂત્રમાં બંધાયેલા રહે એવી પાક, પવિત્ર ઈચ્છા વ્યક્ત કરે છે.
- હિન્દુ વિવાહ જગતમાં સર્વોત્તમ આદર્શ ગણાય છે,
- તે પ્રાચીનતમ અને અનાદી છે.
- તેનો આધાર ઋગ્વેદમાં જોવા મળે છે.
- ઋગ્વેદના દસમાં મંડળમાં પંચાસીમું સુક્ત `વિવાહ-મુક્ત’ના નામથી ઓળખાય છે તથા અથર્વ વેદના 14મા કાંડના પહેલા સુક્તમાં વિવાહનો વિસ્તારથી ઉલ્લેખ થયો છે.
- આ વેદ મંત્રોને આધારે પારસ્કર અને અન્ય ઋષિઓએ ગૃહ્ય સૂત્રોના માધ્યમથી લગ્ન-પદ્ધતિનું નિર્માણ કર્યું હતું.
- આ વિધિમાં ત્રણ ભાગ હોય છે:
1) કન્યાદાન, 2) લાભહોમ અને 3) સપ્તદી.
- આ ત્રણેનો ઘરની ત્રણ વ્યક્તિઓ સાથે સંબંધ છે:
- કન્યાદાનનો કન્યાના માતાપિતા સાથે,
- લાભહોમનો કન્યાના ભાઈઓ સાથે અને
- સપ્તપદીનો કન્યા સાથે સંબંધ છે.
- આદર્શ લગ્નમાં કોઈપણ પ્રકારનું લખાણ જરૂરી નથી.
- વેદમંત્રનું ઉચ્ચારણ કરતી કન્યા પિતાના કુટુંબથી છૂટી પડીને કાયમ માટે પતિના કુટુંબનો આશ્રય મેળવીને કુલવધૂના રૂપમાં રહે છે.
- મંગલચરણથી વિધિમાં સ્વસ્તિવાચન કરતા પહેલાં ગણપતિ, ગૌરી અને કળશની સ્થાપના કરવામાં આવે છે, ત્યાર બાદ નવગ્રહ વગેરેની સ્થાપના કરવામાં આવે છે.
- સ્વસ્તિવાચનના સાત શ્લોકો બોલ્યા પછી દેવોની પૂજા કરવામાં આવે છે તે શ્લોકનો ભાવાનુવાદ આ મુજબ છે:
- `મનુષ્ય પવિત્ર કે અપવિત્ર ભલે હોય, કોઈ પણ અવસ્થામાં હોય પરંતુ શુદ્ધ તો તે જ હોય છે કે જે શ્રદ્ધાથી વિષ્ણુનું નામ લે છે.
- `વિષ્ણુના નામથી અંદર અને બહારની અશુદ્ધિઓ સદા દૂર થાય છે,
- `બુરાઈ નાશ પામે છે અને સઘળાં કષ્ટો ટળે છે…!’
- ત્યાર બાદ સંક્લપ કરવામાં આવે છે અને શાંતિ માટે ગણેશનું આવાહન કરવામાં આવે છે.
મુંબઈ સમાચાર'નીલાડકી’ પૂર્તિની વ્હાલી વાચક બહેનો! ધર્મમાં સંસ્કારનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.- સંસ્કારથી માનવજીવન ઘડાય છે.
- ભારતીય સંસ્કૃતિ અને ધર્મમાં સાંખ્ય તત્ત્વનું વિવેચન જોવા મળે છે.
- સંસ્કારનો હેતુ ભૌતિકતા તરફથી આધ્યાત્મિકતા તરફ જવાનો છે.
- ભૌતિક એકતા ભૌતિક વિજ્ઞાનના ઉપદાનોથી છૂટી પાડી શકાય છે, પરંતુ આધ્યાત્મિક એકતા સ્થાપી છે.



