ફોકસ : સંસારને સ્વર્ગ એ બનાવે છે… | મુંબઈ સમાચાર

ફોકસ : સંસારને સ્વર્ગ એ બનાવે છે…

  • ઝુબૈદા વલિયાણી

તાજેતરમાં એક સુંદર વાક્ય વાંચવામાં આવ્યું.

  • કોણે લખ્યું છે એની ખબર નથી, પરંતુ એનો ભાવાર્થ સરસ છે. કહે છે:

‘ઘરને જો સ્વર્ગ બનાવવું હોય તો એ કામ માત્ર સ્ત્રી કરી શકે.

  • બીજા શબ્દોમાં કહી શકીએ કે
  • સ્ત્રી ઘરને સ્વર્ગ બનાવે છે.
  • એનો અર્થ એટલે કે સિક્કાની બીજી બાજુ એવી થઈ કે
  • જે સ્ત્રી ઘરને સ્વર્ગ નથી બનાવી શકતી એ નર્ક બનાવી દે છે.
  • વાત ખૂબ સરસ અને સમજવા જેવી છે.
  • તમે રોજ સવારે ઑફિસે, કારખાને કે દુકાને જાઓ ત્યારે ચાલાક માણસ તમારા ચહેરા પરથી સમજી જશે કે આજે તમારો મૂડ કેવો છે?
  • અને મૂડ બનાવવા –
  • બગાડવાનું સ્ત્રીના હાથમાં હોય છે.
  • ગુજરાતી ભાષામાં કહેવત છે
  • ચા બગડી તેનો દિવસ બગડ્યો.
  • અથાણું બગડ્યું તેનું વરસ બગડ્યું.
  • કેટલાક લોકો ચાને બદલે દાળ બગડી તેનો દિવસ બગડ્યો એમ પણ કહે છે, ઠીક છે.
  • પરંતુ સ્ત્રી બગડી તેનું આખું જીવન બગડ્યું એમ કેમ નથી કહેતા? કોણ જાણે.
  • જગવિખ્યાત ચિંતક સોક્રેટિસની પત્ની માથાભારે હતી એમ કહેવાય છે.
  • એકવાર સોક્રેટિસ વિદેશી મહેમાનો સાથે બેઠેલા ત્યારે મહેમાનોની અવરજવરથી ત્રાસેલી પત્ની અંદરના રૂમમાં અસંસ્કારી બકવાસ કરતી હતી.
  • પરંતુ સોક્રેટિસ ચૂપ રહ્યા.
  • એથી વધુ ઉશ્કેરાયેલી પેલી સ્ત્રીએ બહાર આવીને સોક્રેટિસના માથા પર ગંદું પાણી ફેંક્યું.
  • આ જોઈ મહેમાનો ચોંકી ઊઠ્યા, પણ સોક્રેટિસે હસતાં હસતાં કહ્યું:
  • એ તો ગાજવીજ પછી વરસાદ થાય ને એના જેવું છે.
  • કહેવાનું એ છે કે,
  • સ્ત્રી ધારે તો સંસારને સ્વર્ગ બનાવી શકે.

સંત રાબિયા

  • સંત રાબિયાએ ઊંચા દરજજાની અહિંસા કેળવી હતી.
  • પ્રાણીમાત્ર પ્રત્યે તેમના માતૃહૃદયમાં અપાર મમતા હતી.
  • પોતાનો બધો સમય તે ઈશ્ર્વર, અલ્લાહની પ્રાર્થના, સ્તૂતિ, બંદગીમાં જ ગાળતી.
  • બંદગી, પ્રાર્થનામાં ખલેલ ન પડે એ માટે તે ગાઢ જંગલમાં જઈ બેસી જતી.
  • સંત હસન બસરી પણ ક્યારેક ક્યારેક જંગલમાં તેમને મળવા જતા. તેઓ પણ ઉચ્ચ દરજજાના સંત હતા.
  • એક વખત તેઓ રાબિયાને શોધતા શોધતા જંગલમાં પહોંચ્યા.
  • ત્યાં જોયું તો રાબિયા ધ્યાનસ્થ છે.
  • તેમની ચારેબાજુ જંગલી પ્રાણીઓ તેમને ઘેરી, પ્રેમભાવે ઊભાં છે!
  • હસનસાહેબને જોતાં જ પશુઓ ભયભીત થઈ ભાગી ગયાં.
  • તેઓ વિચારવા લાગ્યાં,
  • અરે! મારા જેવા અહિંસકથી પણ આ પ્રાણીઓ ભાગે છે!’
  • સંત હસને રાબિયાને પૂછ્યું,
  • પ્રાણીઓ મને જોઈને ભાગ્યાં કેમ?
  • રાબિયાએ પૂછ્યું,
  • ‘આજે તમે શું ખાધું છે?’
  • હસનસાહેબ બોલ્યા, ‘ગોશ્ત!’ (માંસ).
  • રાબિયાએ ખડખડાટ હસતાં કહ્યું,
  • ‘અરે હસનસાહેબ!’
  • તમે માંસ ખાવ છો તો પછી બિચારાં પ્રાણીઓ તમારાથી ભયભીત બનીને કેમ ન ભાગે?
  • કબ્રસ્તાન સાથે આવેલા યમરાજને જોઈને તો ભલભલા ભડવીર પણ ભાગે, તો બિચારાં પ્રાણીઓ ભાગે તેમાં તમને આશ્ર્ચર્ય થાય છે!?’
  • આ હતો રાબિયા અને હસનની અહિંસાનો ફેર!

આપણ વાંચો:  ફોકસ પ્લસ : જનરેશન ઝેડમાં ફેમસ ડુપ્લિકેટ પ્રોડકટસ

બોધ:
કહ્યું છે કે,

  • અહિંસાના ભાવથી ભરેલું હૃદય પ્રાણીમાત્રના હૃદય પર રાજ કરે છે.
    *
    સ્ત્રી-પુરુષ:
    સ્ત્રીનું મગજ 17મે વરસે અને પુરુષનું મગજ 20મે વરસે પુખ્ત થાય છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button