પ્રજામત...
ઈન્ટરવલ

પ્રજામત…

લોકલ ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા શક્ય છે?

મુંબઈની લોકલ ટ્રેનોમાં અકસ્માતને અટકાવવા માટે ઓટોમેટિક દરવાજા મૂકવાની ભલામણ કરવામાં આવી છે. એવામાં સવાલ એ થાય છે કે શું આ શક્ય છે? મેટ્રોમાં આવા દરવાજા છે છતાં જ્યારે ભીડ વધતાં આવા દરવાજા બંધ થવામાં તકલીફ થાય છે. ચાર-પાંચ પ્રયાસ બાદ જ આ દરવાજા બંધ થાય છે. લોકલ ટ્રેનમાં પ્રવાસીઓ દરવાજા પાસે જ લટકતાં હોય છે. આવી સ્થિતિમાં ઓટોમેટિક દરવાજા કેવી રીતે બંધ થશે? ટ્રેન પણ મોડી પડશે, કેમ કે દરવાજા બંધ ન થાય ત્યાં સુધી ટ્રેન આગળ વધશે નહીં.

-રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈસ્ટ)

માતા-પિતાની મિલકતમાં દીકરીનો અધિકાર કેટલો વાજબી?

પિતાની સંપત્તિમાં પરિણીત દીકરીનો હક કેટલી હદે યોગ્ય છે? દીકરી પરણીને સાસરે જાય ત્યારે તેની અટક બદલાઈ જાય છે. નામ પાછળ પતિનું નામ લાગી જાય છે. એથી તેને પતિની સંપત્તિમાં હક મળે છે.

જોકે પરણ્યાં પછી મા-બાપની તે કેટલી સેવા-ચાકરી કરે છે? તેમની કેટલી કાળજી લે છે? દીકરીઓને પિતા અને પતિની મિલ્કતમાં હક મળે એથી તેમને ડબલ ફાયદો થાય છે.

જોકે દીકરા અને પુત્રવધૂઓ તેમની સેવા કરે છે. તેમની તમામ જરૂરિયાતો પૂરી કરે છે. એવામાં દીકરીને અધિકાર આપવો એ દીકરા અને પુત્રવધૂ સાથે અન્યાય થયો હોય એવું નથી લાગતું?

  • રાજકુમાર ગાંગજી ગાલા, ઘાટકોપર (ઈસ્ટ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button