ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

બત્રીસ કોઠે દીવા થાય. તો લાઈટ કેમ નહીં?

આ પણ વાંચો: રમૂજી સવાલના મનમોજી જવાબ…

  • કહેવત રચનારાના જમાનામાં ઇલેક્ટ્રિસિટી નહોતી.
    ડ્રીમ ગર્લ હોય તો ડ્રીમ વુમન કેમ નહીં?.
  • ડ્રીમ ગર્લ યોજના માત્ર અપરિણીત યુવકો માટે છે.
    ગાંધીજી ફરીથી ભારતમાં જન્મ લે તો એમને કોઈ ઓળખે ખરાં?
  • હા, આધાર કાર્ડ- પાન કાર્ડ ને ચૂંટણી કાર્ડ હોય તો તરત ઓળખે.
    ઘરજમાઈ બનવાના ફાયદા શું?
  • પત્ની વારંવાર પિયર જવાની જિદ ન કરે
    આત્મકથા ક્યારે લખવી જોઈએ?
  • તમારો આત્મા ને પુસ્તક પ્રકાશક જાગે ત્યારે!
    સડેલી કેરી ટોપલાની બધી કેરી કેવી રીતે બગાડી શકે?
  • એક ભ્રષ્ટ નેતા જેમ આખા પક્ષને બગાડી શકે તેમ !
    મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. ?
  • ગૂગલ જેટલું દૂર બતાવે એટલે!
    પંખીડાને પિંજરું જૂનું જૂનું કેમ લાગતું હશે?
  • જૂનું આપીને નવું લઈ જવાની કોઈ સ્કીમ વાંચી હશે.
    પ્રદક્ષિણા કરનારને દક્ષિણા મળે કે આપવી પડે?
  • કોની પ્રદક્ષિણા કરો છો એના પર બધો આધાર છે.
    ઝીરો બેલેન્સ -, ઝીરો ક્રાઈમ- ઝીરો ફિગર. હવે બાકી શું રહ્યું.?
  • ઝીરોનું ઝીરો ઝીરો ! .
    ભગત કેટલા પ્રકારના હોય?
  • અઠંગ ભગત, ઠગ ભગત, મિલી ભગત, ઈત્યાદિ..
    ઘર અને બહારના યુદ્ધમાં શું ફરક?
  • બહારનું યુદ્ધ બધા જુએ- ઘરનું યુદ્ધ પાડોશી સાંભળે !
    પ્રાણ જાયે પર વચન ન જાયેં…આ જૂની કહેવત- આજે નવી કંઈ ?
  • હવે ‘વચન જાયેં, પર પ્રાણ નહીં…’
    રસગુલ્લા અને હસગુલ્લા ભેગા કરો તો?
  • મસ્તગુલ્લા બને !
    જીતે એ સિકંદર…અને હારે એ?
  • છછુંદર.!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button