રમૂજી સવાલના મનમોજી જવાબ | મુંબઈ સમાચાર

રમૂજી સવાલના મનમોજી જવાબ

  • દર્શન ભાવસાર

ધણીનું ધાર્યુ થાય તો ધણિયાણી શું કરે?

  • ધમાલ.
    પ્રેમ રાહમાં કંટકો હોય. ફૂલ કયારે આવે?
  • લગ્નના હારતોરા થાય ત્યારે…
    રોજ રામાયણ થાય. તો મહાભારત ક્યારે?
  • એનોય વારો આવે મહિને ઘરખર્ચ દેતી વખતે…
    અપશુકન ક્યારે થાય?
  • લેણદાર અચાનક સામો ભટકાય ત્યારે…
    કેવી બુદ્ધિનું પ્રદર્શન થાય ?
  • અલ્પ બુદ્ધિ અને મંદ બુદ્ધિનું….
    દેવાળું કેમ ફૂંકી દેવાય?
  • ફૂંકે નહીં તો ફેલાઈ જાય!
    ઘરવાળીના જોર- જુલમને શું કહેવાય?
  • જોરૂ કા જુલમ…
    બેગમને ન ગમે તો?
  • ગમગીન રહેવું પડે.!
    ડાહી સાસરે ના જાય તો?
  • પતિએ સાસરે જવું પડે…
    જાય તેલ લેવા…તો દૂધ- ઘી કેમ નહીં?
  • એ બન્ને મોંઘાં પડે…
    માગ્યા વિના ના પીરસે. તો શું ખાવાનું?
  • બગાસાં!
    કેવા જલસા બધાને ગમે?
  • પારકા પૈસે થતા જલસા…
    નવયુગલ -નવદંપતી હોય તો દસ દંપતી કેમ નહીં?
  • દશાનંદ રાવણનો શ્રાપ લાગે….
    કયો ધર્મ વધુ બદનામ?
  • સગવડિયો ધર્મ!
    લગ્ને લગ્ને કુંવારા કેવા હોય?
  • અગેઈન અને અગેઈન કુંવારા…
    બુંદ કી બિગડી હૌજ સે નહીં સુધરતી. નવી કહેવત શું?
  • ‘ઈડી’ સે બિગડી…ઈન્કમ ટેક્સ સે નહીં સુધરતી !

આપણ વાંચો:  અજબ ગજબની દુનિયા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button