રમૂજી સવાલના મનમોજી જવાબ | મુંબઈ સમાચાર
ઈન્ટરવલ

રમૂજી સવાલના મનમોજી જવાબ

દર્શન ભાવસાર

ખતરનાકનું નાક કેવું હોય?
*કોઈને પણ ખોતરી નાખે એવું ખ-ત-ર-ના-ક!

સટ્ટો ક્યાં રમાય?
*એવી સટ્ટા બજારમાં, જ્યાંનું સરનામું પોલીસને જાણ હોય છતાં ત્યાં જવાનું ટાળે…

લગ્ન વખતે વર અને ક્નયા મેકઅપ ના કરે તો?.
*બન્ને વેવાઈનું ખરાબ દેખાય…

કાળા પાણી ને છાંટા પાણીમાં શું ફરક?
*કાળા પાણીની સજા આકરી, પણ છાંટા પાણીની સજા હળવી!

પરીક્ષાના પેપરમાં માર્ક કેમ લખાય છે?
*પરીક્ષકને પાસ નાપાસનો ફરક ગણતાં ફાવે એટલે…

મારે લખતાં શીખવું છે…
*શું…હિસાબ…નોટિસ કે પછી રાજીનામું?!

મોડર્ન શબરી ભગવાન રામને એઠાં બોર આપે તો?
*તો એ `ઈન થિંગ’ ગણાય !

ભૂખ્યાનો બેલી ભગવાન. તો ખાધે-પીધે સુખી હોય એનું કોણ?
*ડોક્ટર ને ઈન્કમ ટેક્સવાળા…

દેવું કરીને ઘી પીવાથી શું મળે?
*વધુ દેવું કરવાની વધુ શક્તિ…

હાથના કર્યા હૈયે જ કેમ વાગે?
*હૈયા સાથે વધારે હેત સંકળાયેલું હોય એટલે…

હૈયાનો હાર હોય તો મનનું શું?
*મન કી બાત.

કજિયાનું મ્હોં કાળું ?
*એ ધોળું નથી હોતું એટલે…

મુઠ્ઠી વાળીને દોડવાનો શું ફાયદો?
*લેણદારથી વધુ દૂર ભાગી શકાય!

કોની આગળ અને કોની પાછળ ન ચાલવું?
*શેઠની આગળ અને ગધેડાની પાછળ ન ચાલવું…બન્ને લાત ફટકારી શકે!

આ પણ વાંચો…રમૂજી સવાલના મનમોજી જવાબ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button