ઇન્ટરનેશનલનેશનલ

ગેરકાયદે રહેનારા અથવા વિઝા ફ્રોડ કરનારાને અમેરિકન દૂતાવાસે આપી ચેતવણી

વોશિંગ્ટન/નવી દિલ્હીઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળનું અમેરિકન પ્રશાસન દેશમાં ગેરકાયદે રહેનારા વિરુદ્ધ સખત કાર્યવાહી કરી રહ્યું છે ત્યારે દેશમાં ગેરકાયદે કામગીરી વિઝા ફ્રોડ સંબંધમાં સંડોવાયેલા સામે આક્રમક કાર્યવાહી કરતા પ્રશાસન ખચકાશે નહીં, એમ ભારત સ્થિત અમેરિકન દૂતાવાસે જણાવ્યું હતું.

ભારત સ્થિત અમેરિકી દૂતાવાસે ગેરકાયદે અમેરિકામાં રહેનારા કે વિઝાના ફ્રોડ કરનારા લોકોને કડક ચેતવણી આપી છે. વધુમાં જણાવ્યું છે કે અમેરિકી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે ગંભીર ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આ નિવેદન ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળના અમેરિકી વહીવટની ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ સામેની કડક નીતિના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. ખાસ કરીને લૉસ એન્જલસમાં તાજેતરની ઇમિગ્રેશન કાર્યવાહીઓ બાદ આ ચેતવણી જાહેર કરી છે.

દૂતાવાસનું નિવેદન

26 જૂને X પરની એક પોસ્ટમાં દૂતાવાસે જણાવ્યું હતું કે, “વિઝા આપ્યા પછી પણ સ્ક્રીનિંગ બંધ થતી નથી. અમે વિઝાધારકોની સતત તપાસ કરીએ છીએ, જેથી તેઓ અમેરિકી કાયદા અને ઇમિગ્રેશન નિયમોનું પાલન કરે. જો તેઓ નિયમો તોડશે, તો વિઝા રદ કરી ડિપોર્ટ કરવામાં આવશે.” કાયદા તોડનારાઓને જેલની સજા અને દેશનિકાલનો સામનો કરવો પડશે.

લૉસ એન્જેલસની ઘટના

ગયા મહિના દરમિયાન લૉસ એન્જલસમાં યુએસ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (ICE) દ્વારા ગેરકાયદે રહેતા લોકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેના વિરોધમાં શહેરમાં હિંસક પ્રદર્શનો થયા હતા. અમુક નકાબપોશ લોકોએ સ્થાનિક દુકાનોને નિશાન બનાવી હતી. ટ્રમ્પે આ માટે નેશનલ ગાર્ડની તૈનાતીનો આદેશ આપ્યો, જેનો કેલિફોર્નિયાના ગવર્નરે વિરોધ કર્યો હતો. આ ઘટનાને લઈ દેશભરમાં ઇમિગ્રેશન નીતિઓ મુદ્દે કડક કાર્યવાહી કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

આપણ વાંચો પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરે ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, આતંકવાદને સંઘર્ષ ગણાવ્યો

યુએસસીઆઈએસની ચેતવણી

યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)એ પણ જણાવ્યું હતું કે હિંસા કે આતંકવાદી પ્રવૃત્તિઓને સમર્થન આપનારા કે તેને પ્રોત્સાહન આપનારા લોકોને અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં મળે. દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું કે, ઇમિગ્રેશન કાયદાઓનું સખતપણે પાલન કરાવવામાં આવશે, જેથી દેશની સુરક્ષા અને કાયદાનું શાસન જળવાઈ રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button