તુર્કીયેના ઇઝરાયલ પર આકરા પ્રહાર: નેતન્યાહૂની હિટલર સાથે કરી સરખામણી, જાણો તુર્કી રાષ્ટ્રપતિએ શું કહ્યું?

અંકારા: ઇઝરાયલ-ઈરાનના યુદ્ધનો આજે નવમો દિવસ છે. બંને દેશો એકબીજા પર સતત હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. ત્યારે હવે ઈરાનનો પડોશી દેશે તુર્કિયેના રાષ્ટ્રપતિએ ઇઝરાયલના વડા પ્રધાનની કઠોર શબ્દોમાં ટીકા કરી છે. તુર્કિયેને રાષ્ટ્રપતિએ આપેલું નિવેદન હવનમાં હાડકાંં નાખવા જેવું કામ કરી શકે છે. જેની યુદ્ધ પર અસર પડવાની સંભાવના છે.
તુર્કિયેના રાષ્ટ્રપતિ શું બોલ્યા?
તુર્કિયેના રાષ્ટ્રપતિ રજબ તૈય્યપ એર્દોગને ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરખામણી એડોલ્ફ હિટલર સાથે કરી છે. એડોલ્ફ હિટલર જર્મનીના તાનાશાહ રાષ્ટ્રપતિ હતા. હિટલર સાથે સરખામણી કરવાની સાથોસાથ એર્દોગને આગળ જણાવ્યું કે, “નેતન્યાહૂ અને હિટલર આ બંને નેતાઓએ વિનાશનો એક સરખો માર્ગ પસંદ કર્યો છે.” તુર્કિયેના રાષ્ટ્રપતિએ ઇઝરાયલને ‘પાખંડી’ કહીને આરોપ લગાવ્યો હતો કે, તે કોઈપણ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કર્યા વગર પોતાના પરમાણુ કાર્યક્રમોને સતત આગળ વધારી રહ્યું છે.
ઈરાન પોતાની પ્રજાની રક્ષા કરી રહ્યું છે
એર્દોગને જણાવ્યું કે, “ગાઝામાં લગભગ 20 લાખ લોકોની નાજી યાતના શિબિરોથી પણ ખરાબ હાલત થઈ ગઈ છે.” તેમણે ઇઝરાયલની વિનાશ, કબજો અને હિંસાની નીતિની ટીકા કરતા કહ્યું કે, “જેમ જેમ દિવસો વિતી રહ્યા છે તેમ તેમ સેકડો નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી રહી છે. ઈરાન પોતાની પ્રજાની રક્ષા કરી રહ્યું છે. જે તેનો અધિકાર છે.”
નેતન્યાહૂ ક્ષેત્રીય શાંતિની સૌથી મોટી અડચણ છે. જે ઇઝરાયલ સરકારે સાબિત કરી બતાવ્યું છે. 13 જૂનથી ઈરાન ઇઝરાયલ દ્વારા સર્જેલા આતંકવાદનો સામનો કરી રહ્યું છે. ઇઝરાયલ હુમલો કરીને ઇરાનના શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જાના પ્રયાસોનો નાશ કરી રહ્યું છે.
આ પણ વાંચો…ઈઝરાયલ-ઈરાન યુદ્ધનો નવમા દિવસમાં પ્રવેશ, બંને દેશોના સતત હવાઈ હુમલાઓ…