ઇન્ટરનેશનલ

‘ઈરાનમાં ઇસ્લામિક સાશનનો અંત જરૂરી’ ખામેનીના ભત્રીજાએ કર્યું બળવાનું અહવાન?

પેરીસ: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા એક અઠવાડિયાથી યુદ્ધ ચાલી (Israel-Iran War) રહ્યું છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેની હાલ ગુપ્ત જગ્યાએ છુપાઈ ગયા છે. એવામાં તેમના પરિવારમાંથી તેમની નીતિઓની વિરોધ કરવામાં આવી રહ્યો છે. દેશનિકાલ કરાયેલા અને હાલ ફ્રાન્સમાં રહેતા ખામેનીના ભત્રીજા મહમૂદ મોર્દખાનીએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે તેઓ યુદ્ધના પક્ષમાં નથી, પરંતુ તેઓ માને છે કે ઈસ્લામિક રિપબ્લિકનો અંત એ વાસ્તવિક શાંતિનો માર્ગ છે.

મહમૂદ મોર્દખાનીએ ઈન્ટરવ્યુંમાં કહ્યું, “આ શાસનનો નાશ કરવો જરૂરી છે, હવે જ્યારે આપણે આટલા આગળ વધી ગયા છીએ, તો એમ કરવું કરવું જ પડશે.”

મોર્દખાની તેમના કાકા આયાતુલ્લાહ અલી ખામેનીના નિરંકુશ શાસનના સખત ટીકાકાર રહ્યા છે. 1986 માં તેમણે ઈરાન છોડવું પડ્યું હતું. તેમણે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે ઇઝરાયલ સામે યુદ્ધ દુર્ભાગ્યપૂર્ણ છે, પરંતુ જ્યાં એવી વ્યવસ્થા હોય જે ન તો નમતી હોય છે કે ન તો સુધારાને સ્વીકારતી હોય છે, ત્યાં આ યુદ્ધ અનિવાર્ય છે.

મોર્દખાનીએ કહ્યું, “મને ખૂબ જ દુઃખ છે કે પરિસ્થિતિ આ હદ સુધી પહોંચી ગઈ છે… પરંતુ શું ખામેનીની હત્યાથી શાસનનો તાત્કાલિક અંત આવશે? એ પણ એક અલગ પ્રશ્ન છે. પણ ઘણા ઈરાનીઓ શાસનની નબળાઈના સંકેતો જોઈને ખુશ છે.”

તેમણે કહ્યું, “યુદ્ધ જેટલું વહેલું સમાપ્ત થાય તેટલું સારું છે. તેનો અંત ઇસ્લામિક રિપબ્લિકના અંત સાથે થવો જોઈએ. નહીં તો તે એક અર્થહીન હાર હશે અને હું હજુ પણ માનું છું કે શાસન બદલો લેશે.

આ પણ વાંચો….ઇઝરાયલ-ઇરાન યુદ્ધનો ભોગ: બોમ્બ વિસ્ફોટથી ભારતીયનું હાર્ટ એટેકથી મૃત્યુ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button