ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં ‘શાંતિદૂત’ બન્યું ચીન-રશિયા: યુદ્ધવિરામ અંગે કરી અપીલ

બીજિંગ: ઇઝરાયલ-ઈરાનના યુદ્ધને કારણે વિશ્વના અન્ય દેશોની ચિંતામાં વધારો થયો છે. ચિંતાગ્રસ્ત દેશોમાં અમેરિકા સિવાયના મહાસત્તા ગણાતા દેશોનો પણ સમાવેશ થાય છે.

એક તરફ અમેરિકા ઈરાન પાસે પોતાની વાત મનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તો બીજી તરફ ઇઝરાયલ જલ્દી યુદ્ધવિરામ કરે એવું ચીન ઈચ્છી રહ્યું છે. આ અંગે ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.

આપણ વાંચો: ઈરાન સામે પાકિસ્તાનનો ઉપયોગ: ટ્રમ્પ-મુનીરની મુલાકાત અને અમેરિકાની વ્યૂહરચના

જિનપિંગ-પુતિન વચ્ચે શું વાત થઈ?

ચીની મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ રાષ્ટ્રપતિ જિનપિંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મધ્ય પૂર્વ વિસ્તારની વર્તમાન પરિસ્થિતિ તથા ઇઝરાયલ-ઈરાનના યુદ્ધ અંગે વાતચીત કરી હતી.

જિનપિંગે વ્લાદિમીર પુતિન સાથેની વાતચીતમાં અપીલ કરતા કહ્યું કે, ઇઝરાયલે બની શકે એટલા વહેલા યુદ્ધવિરામની ઘોષણા કરવી જોઈએ, જેથી મધ્ય પૂર્વ વિસ્તારમાં ફરીથી શાંતિ અને સ્થિરતા આવે.”

આપણ વાંચો: મધ્ય પૂર્વમાં યુદ્ધના વાદળો ઘેરાયા: ઈરાને કહ્યું જો અમેરિકાએ હસ્તક્ષેપ કર્યો હતો ‘પૂર્ણ યુદ્ધ’….

ઇઝરાયલ-ઈરાનના યુદ્ધને કારણે ચીનની ચિંતા વધી

જિનપિંગે આગળ જણાવ્યું હતું કે ચીન હંમેશાં વાતચીત અને કૂટનીતિ દ્વારા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનું સમાધાન કરવાના પક્ષમાં રહ્યું છે, કારણ કે તે માને છે કે, બળપ્રયોગથી કોઈ પણ સમસ્યાનું કાયમી સમાધાન આવી શકે નહી.

જોકે ઇઝરાયલ-ઈરાનના યુદ્ધને કારણે ચીનની ચિંતા વધી છે. યુદ્ધના કારણે ચીનમાં પહોંચતા ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર પડી શકે છે. જેથી ચીનને સૌથી વધારે નુકસાન થઈ શકે છે. જોકે રશિયા યુક્રેન સાથે પહેલાથી જ યુક્રેન સાથે યુદ્ધ લડી રહ્યું છે. જેથી તે વિષમ પરિસ્થિતિઓનો સામનો કરવા સજ્જ છે.

આપણ વાંચો: પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે 35 મિનિટ સુધી ટેલિફોનિક વાતચીત, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા…

ઈરાનની એક મિસાઈલ ઇઝરાયલના હૉસ્પિટલ પર પડી

ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ અને ઈરાન બંને દેશો એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. ઈરાને ઈઝરાયલના તેલ અવીવ, બીર્શેબા, રમતગન અને હોલોન પર 4 બૈલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો હતો.

જે પૈકીની એક મિસાઈલ તેલ અવીવના સોરોકા હૉસ્પિટલ પર પડી હતી. જેથી હૉસ્પિટલમાં અફરાતફરી સર્જાઈ હતી અને અનેક લોકો ઘાયલ થયા હતા. ઈરાનના હુમલાની પ્રતિક્રિયામાં ઇઝરાયલના રક્ષા મંત્રીએ તહેરાન પર હુમલો કરવાનું એલાન કર્યું હતું અને પોતાની કરણીનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ધમકી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button