ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

ટ્રમ્પે ગાઝા યુદ્ધ અટકાવ્યું? ઇઝરાયેલ યુદ્ધવિરામ માટે તૈયાર, જાણો હમાસે શું કહ્યું

તેલ અવિવ: ઇઝરાયેલના સતત હુમલાને કારણે હાલ ગાઝામાં સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું છે. યુનાઈટેડ નેશન્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફથી યુદ્ધગ્રસ્ત લોકો માટે મોકલવામાં આવેલી માનવીય સહાયને પણ ઈઝરાયેલે બે મહિનાથી બોર્ડર પર રોકી રાખી છે, જેને કારણે ગાઝામાં આ સદીની સૌથી ભયંકર માનવીય ત્રાસદી પેદા (Humanitarian Crisis in Gaza) થઇ છે. હજારો લોકો ભૂખમારાને કારણે મોતને ભેટે તેવી શક્યતા છે. એવામાં અમેરિકા ઇઝરાયેલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરાવવા પ્રયત્ન કરી રહ્યું છે. વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે ઇઝરાયેલે યુદ્ધવિરામ માટે (Israel-Hamas ceasefire) તૈયાર છે, પરંતુ હજુ હમાસ તરફથી સ્પષ્ટ જવાબ મળ્યો નથી.

ગુરુવારે (સ્થાનિક સમય મુજબ) વ્હાઇટ હાઉસે જાહેરાત કરી હતી કે નવા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ઈઝરાયેલે હસ્તાક્ષર કરી દીધા છે, જ્યારે હમસે જણાવ્યું કે હાલમાં તેઓ આ પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યા છે. જો કે ઇઝરાયલી સરકારે જાહેરમાં પુષ્ટિ આપી નથી કે તેણે પ્રસ્તાવને મંજૂરી આપી છે.

અહેવાલ મુજબ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના રાજદૂત સ્ટીવ વિટકોફે હમાસને યુદ્ધવિરામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને ઇઝરાયલે સમર્થન આપ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે હમાસ સાથે ચર્ચા ચાલી રહી છે.

હમાસનું વલણ:

હમાસના પોલિટીકલ બ્યુરોના સભ્ય બાસેમ નઈમે એક ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે આ પ્રસ્તાવ અમારા લોકોની કોઈપણ માંગણીને પૂર્ણ કરતો નથી, જેમાં સૌથી મોટી માંગ યુદ્ધ બંધ કરવાની છે. તેમ છતાં, ચળવળનું નેતૃત્વ રાષ્ટ્રીય જવાબદારી સાથે પ્રસ્તાવનો અભ્યાસ કરી રહ્યું છે.

નવા પ્રસ્તાવની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ હમાસના વરિષ્ઠ અધિકારી સામી અબુ ઝુહરીએ ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રસ્તાવમાં ઇઝરાયલ તરફથી ગાઝા પરના યુદ્ધનો અંત લાવવા, એન્ક્લેવમાંથી ઇઝરાયલી સૈનિકો પાછા ખેંચવા અથવા યુદ્ધગ્રસ્ત પ્રદેશમાં મુક્તપણે સહાય પ્રવેશવાની મંજૂરી આપવાની પ્રતિબદ્ધતાઓ શામેલ નથી.

પેલેસ્ટિનિયન જૂથના એક અધિકારીએ એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાને જણાવ્યું કે હાલના યુદ્ધ વિરામ પ્રસ્તાવને કારણે ગાઝામાં ફક્ત હત્યા અને ભૂખમરો ચાલુ રહેશે.

સહાય લેવા આવેલા લોકો પર ઇઝરાયેલનો નિર્દયી હુમલો:

ઇઝરાયલની બે મહિનાની નાકાબંધી આંશિક રીતે ખોલવામાં આવી છે. ગાઝામાં હવે ધીમે ધીમે સહાય પહોંચડવામાં આવી છે, પરંતુ હિંસા ચાલુ છે. ગાઝાના નાગરિક સંરક્ષણે ગુરુવારે જાણ કરી હતી કે ઇઝરાયલી હુમલાઓમાં 54 લોકોના મોતની થયા હતાં, જેમાં અલ-બુરેઇજમાં એક ઘર પર થયેલા હુમલામાં 23 લોકો માર્યા ગયા હતા. યુએસના સહાય કેન્દ્ર નજીક થયેલા એક હુમલાના બે લોકોનો માર્યા ગયા હતાં, યુએન અને યુરોપિયન યુનિયને આ હુમલાની ટીકા કરી છે.

ઇઝરાયેલના હુમલાનેકારણે છેલ્લા 19 મહિનામાં ગાઝામાં 54,000 વધુ લોકો માર્યા ગયા છે, જેમાંથી મોટાભાગના લોકો સામાન્ય નાગરિકો હતાં. મૃતકોમાં આશરે 50 ટકા બાળકો છે..

ઇઝરાયેલી સૈનિકો ઉત્તર ગાઝામાં કાર્યરત હાલતમાં રહેલી એક માટે હોસ્પિટલને બળજબરીથી ખાલી કરાવી રહ્યા છે તેવા અહેવાલો છે. જેને કારણે હવે ગાઝામાં તબીબી સુવિધાઓ લગભાગ સંપૂર્ણ પડી ભાંગી છે.

આ પણ વાંચો…..ટ્રમ્પે લાખો ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકોઃ અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા પર લગાવી રોક, આપ્યો આવો આદેશ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button