ઇન્ટરનેશનલ

ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી મસૂદ અઝહર પાકિસ્તાનમાં માર્યો ગયો જાણો સત્ય શું છે?

નવી દિલ્હી: ભારતમાં સોશિયલ મીડિયા પર ફરી એકવાર ટ્રેન્ડ કરી રહ્યું છે. આતંકી મસૂદ અઝહર માર્યો ગયો છે. તેમજ એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે મસૂદ અઝહરને પણ એ જ રીતે માર્યો છે જે રીતે પાકિસ્તાનમાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા છે. થોડા દિવસો પહેલા ભારતમાં મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને દાયકાઓથી પાકિસ્તાનમાં રહેતા દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારી નાખ્યાના સમાચાર આવ્યા હતા. જોકે આવા સમાચારની તસવીરો અને વીડિયોની કોઈ ખાતરી થઈ નથી. તેમજ પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન અનવર ઉલ હક કક્કરના ટ્વિટરના સ્ક્રીનશોટ પણ નકલી હતા.

પાકિસ્તાનના કેટલાક ટ્વિટર હેન્ડલ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યું હતું કે આતંકવાદી નેતા મસૂદ અઝહર બોમ્બ બ્લાસ્ટમાં માર્યો ગયો છે. જો કે પાકિસ્તાનના કેટલાક ટ્વિટર હેન્ડલ્સ સિવાય પાકિસ્તાનના મીડિયામાં આ વિશે કોઈ સમાચાર જોવા મળ્યા નથી.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 1999માં એક ભારતીય વિમાનને હાઈજેક કરીને કંદહાર લઈ જવામાં આવ્યું હતું, તે વખતે મુસાફરોના બદલામાં ત્રણ આતંકવાદીઓને છોડવામાં આવ્યા હતા જેમાં મસૂદ અઝહર પણ સામેલ હતો.

હસનત અલી નામના અન્ય હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલો આ જ કાર વિસ્ફોટનો ફોટો 2019માં પોસ્ટ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કેટલાક પત્રકારોએ પણ આ સમાચારને નકલી ગણાવ્યા છે.
ભારતમાં આ કેસોમાં વોન્ટેડ હતો

  1. મસૂદ અઝહરને દિલ્હી પોલીસ દ્વારા 2001ના સંસદ હુમલામાં અને પંજાબ પોલીસ દ્વારા 2016ના પઠાણકોટ એરબેઝ હુમલામાં ચાર્જશીટ કરવામાં આવી હતી.
  2. અઝહરે 5 જુલાઈ, 2005ના રોજ અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરના હુમલા સહિત ભારત પર ઘાતકી આતંકવાદી હુમલાઓ કરવા માટે જૈશ-એ-મોહમ્મદ કેડરનો ઉપયોગ કર્યો હતો.
  3. 3 જાન્યુઆરી, 2016 ના રોજ અફઘાનિસ્તાનના બલ્ખમાં મઝાર-એ-શરીફમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર હુમલાનું નિર્દેશન કર્યું હતું. આ સિવાય તે અલ-કાયદા ચીફ ઓસામા બિન લાદેન અને તાલિબાનના સંસ્થાપક મુલ્લા ઉમરનો નજીકનો સહયોગી હતો.
  4. 14 ફેબ્રુઆરી 2019ના રોજ CRPF જવાનો પર પુલવામા હુમલો કર્યો હતો.

    કેટલાક અહેવાલો પ્રમાણે મસૂદ ઈસ્લામાબાદમાં પાકિસ્તાની ડીપ સ્ટેટની સુરક્ષા કસ્ટડીમાં રહેતો હતો. 55 વર્ષીય આતંકવાદી ભાગ્યે જ બહાવલપુરના રેલ્વે લિંક રોડ પર સ્થિત મરકઝ-એ-ઉસ્માન-ઓ-અલી મદરેસામાં જતો હતો. અઝહરનો જન્મ 10 જુલાઈ 1968ના રોજ પાકિસ્તાનના પંજાબ રાજ્યના બહાવલપુરમાં થયો હતો.
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup!