ઇન્ટરનેશનલ

પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે તણાવ: બરમાચા ક્ષેત્રમાં ગોળીબાર, પાક. સેનાએ ટેન્ક તૈનાત કરી

ઇસ્લામાબાદ: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની સેનાઓ વચ્ચે આજે સવારે ફરી તણાવની સ્થિતિ ઊભી થઈ છે, જ્યાં બંને પક્ષોએ અફઘાનિસ્તાનના બરમાચાસ્થિત સરહદી વિસ્તારમાં એકબીજા પર આડેધડ ગોળીબાર કર્યો હતો. અહીંના વિસ્તાર પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતને સમાંતર આવેલો છે.

સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, સરહદ પર નવી ચોકીઓ બનાવવાને કારણે આ વિવાદ ઊભો થયો હતો. સવારે શરૂ થયેલી ગોળીબાર થોડા સમય પછી થંભી ગયો હતો, પરંતુ બપોર પછી પરિસ્થિતિ ફરી વણસી હતી.

આપણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા; કોની પાસે કેટલી શકતી? તાલિબાન પાસે છે આ વિશેષ ક્ષમતા જે

સરહદ પરની ચોકીઓને નિશાન બનાવવામાં આવી

મળતી વિગતો અનુસાર આજે બપોરે 4:30 વાગ્યા બાદ અથડામણો ફરી શરૂ થઈ હતી, જેમાં બંને પક્ષો તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનના અધિકારીઓએ પણ આ અથડામણની પુષ્ટિ કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનની સેનાએ આ દરમિયાન ટેન્ક તૈનાત કરી હતી અને અફઘાન સરહદ પર બનેલી ચોકીઓને ભારે તોપખાનાથી નિશાન બનાવવામાં આવી હતી. આ ઘટના બંને દેશો વચ્ચેનો તણાવ વધુ ઉગ્ર બની રહ્યો હોવાનો સંકેત છે.

આપણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે બોર્ડર પર તણાવઃ ૮ અફઘાન-તાલિબાન સૈનિકનાં મોત…

પાકિસ્તાન અને અફઘાન તાલિબાનની ‘શત્રુ મિત્રતા’

પાકિસ્તાન અને અફઘાન તાલિબાન આજે એકબીજાના કટ્ટર દુશ્મનો બની ગયા છે. બંને પક્ષો એકબીજાના સૈનિકોના મોતની ઉજવણી કરતા જોવા મળે છે. વાસ્તવમાં, અફઘાન તાલિબાન સમર્થિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પાકિસ્તાનમાં તેની સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી રહ્યું છે.

પાકિસ્તાની સેનાના જનરલો અત્યાર સુધીના તમામ યુદ્ધો હાર્યા હોવા છતાં છાતી પર મેડલનો મેળો સજાવીને ફરે છે, ત્યારે તેમની મજાક કોઈપણ દેશની સેના નહીં, પરંતુ તહરીક-એ-તાલિબાન નામના આતંકી સંગઠન દ્વારા ઉડાવવામાં આવે છે. આ સ્થિતિ પાકિસ્તાની સેના માટે શરમજનક છે.

આપણ વાંચો: અફઘાનિસ્તાન-ચીન-પાકિસ્તાન એક સાથે! CPEC મામલે ભારતની ચિંતા વધી

પાકિસ્તાની સરકારની ચિંતા

લગભગ પાંચ મહિના પહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સૈન્ય બેઝ પર પાકિસ્તાની સેનાના જવાનો તહેનાત હતા. પરંતુ, TTPએ પાકિસ્તાની સેનાના મોરચા પર પોતાનો ઝંડો ફરકાવી દીધો હતો, જે પાકિસ્તાની સેના માટે એક મોટો આંચકો હતો.

28 ડિસેમ્બરના અફઘાન તાલિબાને પાકિસ્તાનના સરહદી વિસ્તારો પર જોરદાર હુમલો કર્યો હતો, જેમાં TTPએ પણ તેનો સાથ આપ્યો હતો. આ હુમલામાં 19 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button