ઇન્ટરનેશનલ

‘નરસંહાર’નો અંત લાવવા હજુ પણ સમય છે, નહીં તોઃ ટ્રમ્પે ઈરાનને આપી ચેતવણી

વોશિંગટન ડીસી: એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ સમજૂતીની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ત્યારે બીજી તરફ આજે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરી દીધો હતો. આ હુમલો ઈરાનની ન્યુક્લિઅર સાઈટ્સ અને બેલાસ્ટિક મિસાઇલ ફેક્ટરી પર કરવામાં આવ્યો હતો. ત્યારે આવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને ઝડપી પરમાણુ સમજૂતી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.

ઇઝરાયલ પાસે ઘાતક ઉપકરણોનો ભંડાર છે

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે. મીડિયા સાથે વાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, “મેં ઈરાનને કરાર કરવાના અનેક તક આપી હતી. મેં તેઓને કડક શબ્દોમાં કહ્યું કે, બસ કરો.

આપણ વાંચો: અમેરિકા અને ઈરાન આમને સામને, ટ્રમ્પની પરમાણુ સ્થળો ઉડાવવાની ધમકીનો ઇરાને આપ્યો જવાબ…

પરંતુ તેમણે ભલે ગમે તેટલા પ્રયત્નો કર્યા હોય, ભલે તે ગમે તેટલા નજીક કેમ ન પહોંચી જાય. તે આને પૂરૂ નહીં કરી શકે. મેં તેઓને કહ્યું કે, આ તેમની જાણકારી, અંદાજ અથવા જણાવવામાં આવેલી કોઈ પણ વાતથી ઘણી ખરાબ હશે.”

ટ્રમ્પે ઇઝરાયલની ક્ષમતા વિશે જણાવતા કહ્યું કે દુનિયામાં અમેરિકા અત્યારસુધીના સૌથી શ્રેષ્ઠ અને સૌથી ઘાતક સૈન્ય ઉપકરણો બનાવે છે અને ઇઝરાયલ પાસે પણ તેનો ભંડાર ભરેલો છે. આગામી સમયમાં બીજું પણ ઘણું બધું થશે અને ઇઝરાયલ તેનો ઉપયોગ કરવાનું જાણે છે.

આપણ વાંચો: અમેરિકાને રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધો ફળ્યાઃ ભારત સાથે ક્રૂડ ઓઇલ ખરીદીમાં વધી ભાગીદારી

નરસંહારનો અંત લાવવા માટે હજુ પણ સમય છે

ડોનાલ્ડ ટ્રમ્પે આગળ જણાવ્યું કે કેટલાક ઈરાની કટ્ટરપંથીઓએ બહાદુરીથી વાત કરી, પરંતુ તેમને ખબર નહોતી કે શું થવાનું છે. તેઓ બધા હવે મરી ગયા છે અને પરિસ્થિતિ હજુ વધારે ખરાબ થશે! પહેલાથી જ ઘણાના મૃત્યુ અને વિનાશ થઈ ચૂક્યો છે, પરંતુ આ નરસંહારનો અંત લાવવા માટે હજુ પણ સમય છે, નહીંતર હવે થનારા યોજનાબદ્ધ હુમલાઓ પહેલા કરતાંય વધારે ક્રૂર હશે.”

અમેરિકન રાષ્ટ્રપતિએ ઈરાનને સલાહ આપતા કહ્યું કે, “કોઈ રહે નહીં એના પહેલા ઈરાને એક સમજૂતી કરી લેવી જોઈએ. એક સમયે ઈરાની સામ્રાજ્યના નામથી જાણીતું હતું તેને બચાવવું જોઈએ. હવે કોઈ મૃત્યુ નહીં, હવે કોઈ વિનાશ નહીં, બહું મોડું થઈ જાય એના પહેલા બસ કરો. ભગવાન તમારું સૌનું ભલું કરે!”

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ‘ઓપરેશન રાઇઝિંગ લાયન’ શરૂ કરવાની જાહેરાત કરી છે. ઈઝરાયલના અસ્તિત્વ માટે પરમાણુ શસ્ત્રોના ઈરાની ખતરાને ઘટાડવા માટે આ એક લક્ષિત લશ્કરી કાર્યવાહી છે આ ખતરાને દૂર કરવા માટે જેટલા દિવસો લાગશે તેટલા દિવસો સુધી આ કામગીરી ચાલુ રહેશે. એવું વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button