ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ માટે ટેરિફ અનિવાર્ય, અમેરિકન કોર્ટમાં ટ્રમ્પનો વિચિત્ર દાવો

વોશિંગ્ટન ડીસી: અમેરિકા વિશ્વના અન્ય દેશો સાથે ટેરિફ વોરની રમત રમી રહ્યું છે. જેથી ટેરિફ અંગે અમેરિકન કોર્ટમાં ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર દ્વારા એક વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે.
ટ્રમ્પ સરકાર દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, કોર્ટે જો સરકારને ટેરિફ ના લગાવવાનો આદેશ કર્યો તો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ ભંગ થઈ શકે છે. ટ્રમ્પ સરકાર દ્વારા આવો વિચિત્ર દાવો કરવામાં આવ્યો છે, આખરે ટેરિફ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ સાથે શું સંબંધ? આ પ્રશ્ન અત્યારે દરેકને થઈ રહ્યો છે.
આપણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા તેવર, એક પછી એક દેશના વડાઓ પર થઇ રહ્યા છે ગુસ્સે…
ટ્રમ્પ સરકાર ટેરિફ મામલે કોર્ટમાં કર્યો વિચિત્ર દાવો
અત્રે ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ સરકાર ટેરિફ અંગે કાર્ટમાં બચાવ કરવાનો પ્રયત્ન કરી રહી છે. ટ્રમ્પ સરકારે અનેક દેશો પર ટેરિફ લગાવીને ટેરિફની રમત શરૂ કરી છે.
એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ટેરિફ લાદવા માટે કટોકટીની સત્તાઓના ઉપયોગનો બચાવ કરતા, ટ્રમ્પ વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓએ ગયા અઠવાડિયે યુએસ કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડને જણાવ્યું હતું કે, ટ્રમ્પની ટેરિફ સત્તાઓને મર્યાદિત કરવાથી અમેરિકાના વેપાર સોદાઓને નુકસાન થશે શકે છે.
એટલું જ નહીં પરંતુ અધિકારીઓએ એવું પણ કહ્યું હતું કે, ટેરિફ લાદવાની સત્તા ઘટાડવાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જોખમમાં મૂકાશે.
આપણ વાંચો: રશિયાના યુક્રેન પરના હવાઇ હુમલાથી ડોનાલ્ડ ટ્રમ્પ પુતિન પર નારાજ, કહી આ વાત…
નાના વેપારીઓએ ટ્રમ્પ સરકાર પર કેસ દાખલ કર્યો
અમેરિકાની કોર્ટમાં નાના વેપારના વેપારીઓએ ટ્રમ્પ સરકાર પર કેસ દાખલ કર્યો છે. વેપારીઓ દ્વારા કરવામાં આવેલા કેસ પ્રમાણે ટ્રમ્પના આ નિર્ણયની વૈશ્વિક વેપાર પર ભારે અસર પડી શકે છે. ટ્રમ્પ સરકારે અનેક કંપનીઓને પોતાના વસ્તુઓનું ઉત્પાદન ભારતમાં ના કરવા માટે કહ્યું અને ચેતણવી આપી હતી કે, જો તેઓ ભારતમાં ઉત્પાદન કરશે તો તેમના પર 25 ટકા ટેરિફ વસૂલ કરવામાં આવશે.
આવી સ્થિતિમાં વેપારીઓએ કોર્ટમાં કેસ દાખલ કરીને ટ્રમ્પ સરકારને પડકાર ફેક્યો છે. આ કેસના જવાબમાં ટ્રમ્પ સરકાર વિચિત્ર દાવો કર્યો છે. પરંતુ હવે કેસમાં કોર્ટ દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું!