ન્યૂ યોર્ક મેયરની રેસમાં વિવાદ: ભારતીય મૂળના ઝોહરાન મમદાની પર ટ્રમ્પના પ્રહાર
ગુજરાતના રમખાણો અને ગાઝાના મુસ્લિમોની હિમાયતની ટિપ્પણીને લઈ ચર્ચા જગાવી

વોશિંગ્ટન: ન્યૂ યોર્ક સિટીના મેયર પદની ચૂંટણીમાં આગળ ચાલી રહેલા ભારતીય મૂળના જોહરાન મમદાનીની વિચારધારાએ વિવાદ સર્જ્યો છે. મમદાનીની પાકિસ્તાન પ્રત્યેની નિકટતા અને કટ્ટર ઇસ્લામવાદની હિમાયતને લઈને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પર આકરા પ્રહારો કર્યા છે. મમદાનીએ ગુજરાતના રમખાણો અને ગાઝા મુસ્લિમોની હિમાયત પરની ટિપ્પણીઓએ પણ ચર્ચા જગાવી છે. આ વિવાદે ન્યૂ યોર્કની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો છે.
ટ્રમ્પનો આક્ષેપ
જોહરાન મમદાની વિચારધારા પર ટ્રમ્પે ટીકા કરી છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે “મમદાની કમ્યુનિસ્ટ છે! જો તે મેયર બને તો ન્યૂ યોર્ક અને દેશ માટે આ ખરાબ બનશે.” ટ્રમ્પે ચેતવણી આપી કે મમદાનીની જીતથી ન્યૂ યોર્ક “100% કમ્યુનિસ્ટ સિટી” બનાવી દેશે. ઉલ્લેખનીય છે કે આ ટિપ્પણી બાદ રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ મમદાનીની નાગરિકતા રદ કરવાની માગ પણ ઊઠાવી છે.
કોણ છે જોહરાન મમદાની?
33 વર્ષના જોહરાન મમદાની યુગાન્ડામાં જન્મેલા ભારતીય મૂળના અમેરિકી નાગરિક છે. 2021થી તેઓ ન્યૂ યોર્ક સ્ટેટ એસેમ્બલીના સભ્ય છે અને પોતાને “ડેમોક્રેટિક સોશિયલિસ્ટ” ગણાવે છે. તેમણે સાંસદ બન્યા પહેલા સ્થાનિકોને ભાડા નિર્ધરણા, મફત ટ્રાન્ઝિટ, બાળકોની સંભાળ અને શ્રીમંતો પર કર વધારવાના જેવા મહત્વના નિર્ણય કરવાના વાયદા કરેલ છે. જોકે, તેમની પાકિસ્તાન પ્રત્યેની નિકટતા અને કટ્ટર ઇસ્લામવાદની હિમાયતને લઈને વિવાદ થયો છે.
પાકિસ્તાની કાર્યક્રમોમાં હાજરીથી સર્જાયો વિવાદ!
મમદાની ભારતને બદલે પાકિસ્તાનના કાર્યક્રમોમાં હાજરી આપે છે અને પાકિસ્તાનના લોકો અને સંસ્કૃતિની પ્રશંસા કરે છે. તેને ગુજરાતના રમખાણો અને ગાઝા મુસ્લિમોની હિમાયતની ટિપ્પણીઓથી વિવાદ ઊભો કર્યો હતો. ઘણા લોકોએ તેમનું આ વાત પર સમર્થન કર્યું છે, પરંતુ મધ્યમમાર્ગી અને વેપારી નેતાઓને ડર છે કે તેમનો એજન્ડા મતદારોને દૂર કરી શકે છે. રિપબ્લિકનોની ટીકા અને નાગરિકતા રદ કરવાની માંગે વિવાદ વકર્યો છે.