લંડનમાં ગુલામ અલી ખટાનાનો પાકિસ્તાન પર પ્રહાર: ‘ભારત માતા કી જય’ના નારા સાથે યુરોપને સંબોધન

લંડનઃ પહલગામ આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ત્યાર બાદ પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે ભારત સરકારે વિવિધ દેશોમાં ઓલ પાર્ટી ડેલિગેશન મોકલ્યું છે.
હાલ પૂર્વ કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ સાથેના કેટલાક નેતાઓનું ડેલિગેશન યુરોપ પહોંચ્યું છે, જ્યાં ભાજપાના સાંસદ ગુલામ અલી ખટાનાએ ”ભારત માતા કી જય”નો નારો લગવવાની સાથોસાથ પાકિસ્તાન પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા.
ભાજપાના સાંસદ ગુલામ અલી ખટાનાએ રવિવારે લંડનના ભારતીય ભવનમાં ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધ્યો હતો. પોતાના સંબોધનમાં તેમણે આખું યુરોપ સાંભળે એ રીતે માદરે વતન ‘હિન્દુસ્તાન જિંદાબાદ’, ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
આપણ વાંચો: શાંગરી-લા સંવાદમાં ભારતે પાકિસ્તાન પર પ્રહાર કર્યા, કહ્યું ઓપરેશન સિંદૂર એક બોધપાઠ
સાથોસાથ શ્રોતાઓને કહ્યું હતું કે, “નારા એ રીતે લગાવો કે આખું યુરોપ સાંભળે” શ્રોતાઓ તરફથી પણ ‘વંદે માતરમ’ અને ‘જય શ્રીરામ’ના નારા લગાવવામાં આવ્યા હતા.
ભારતીય પ્રવાસી સમુદાયને સંબોધતા ગુલામ અલી ખટાનાએ કહ્યું કે, “તમે અમારા રાજદૂત છો અને ભારતની વાતને દુનિયા સામે રજૂ કરવામાં તમારી મહત્ત્વની ભૂમિકા છે. માત્ર સૈન્ય મોર્ચા પર જ નહીં, પરંતુ કૂટનીતિક, સોશિયલ મીડિયા અને વૈશ્વિક મંચ પર પણ આપણે લડાઈ લડવાની છે.”
આપણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’ પર સુંદર નિબંધ લખો અને મેળવો ઇનામઃ સંરક્ષણ મંત્રાલયની જાહેરાત
તેમણે આગળ જણાવ્યું કે એક તરફ પાકિસ્તાન ભીખ માંગે છે અને બીજી તરફ આતંકવાદ ફેલાવે છે. હવે એ સમય ચાલ્યો ગયો છે. અમે યુરોપમાં છીએ, અમારા સાથીઓ અન્ય દેશોમાં જઈને સંદેશ આપી રહ્યા છીએ કે, ભારત આતંકવાદને કચળવાનું જાણે છે અને તેને અન્ય કોઈ મધ્યસ્થતાની જરૂર નથી.
પોતાના સંબોધનમાં સાંસદ સાંસદ ગુલામ અલી ખટાનાએ 370ની કલમ નાબૂદ થવાથી પાકિસ્તાન કેમ પરેશાન છે? એના વિશે જણાવ્યું હતું. 370ની કલમ નાબૂદ થવાથી કાશ્મીરમાં શાંતિ આવી છે. લોકો મતદાન કરી રહ્યા છે. પ્રવાસન અને બુનિયાદી ઢાંચાનો વિકાસ થઈ રહ્યો છે. મહિલાઓનો સંપત્તિનો અધિકાર મળી રહ્યો છે. પાકિસ્તાનને કાશ્મીરમાં આવેલી શાંતિથી વાંધો છે, જેથી તે અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે.