ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં યુનુસ સરકારની જાહેરાત બાદ પણ ચૂંટણી મુદ્દે અસમંજસની સ્થિતિ, જાણો વિગતે

ઢાકા : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ આવેલી વચગાળાની સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. બાંગ્લાદેશમાં સતત ચૂંટણીઓની માંગ કરવામાં આવી રહી છે. જોકે, યુનુસ સરકારની જાહેરાત બાદ પણ હજુ પણ
સામાન્ય ચૂંટણીઓ અંગે અસમંજસની સ્થિતિ પ્રવર્તી રહી છે.

ત્યારે બાંગ્લાદેશ માટે માનવ અધિકાર અને શાંતિના પ્રમુખ મજલ મુર્શીદે આશંકા વ્યક્ત કરી છે કે ચૂંટણીઓ ફરી એકવાર મુલતવી રાખવામાં આવી શકે છે કારણ કે ચૂંટણી પંચે અત્યાર સુધી કોઈ સત્તાવાર સમયપત્રક જાહેર કર્યું નથી.

આપણ વાંચો: બાંગ્લાદેશમાં રાજકીય સંકટ ઘેરાયું, મુહમ્મદ યુનુસે સલાહકાર પરિષદની આકસ્મિક બેઠક બોલાવી

વચગાળાની સરકારની જોગવાઈ નથી.

મુર્શીદે પોતાના નિવેદનમાં કહ્યું કે 5 ઓગસ્ટ 2024 થી દેશમાં ષડયંત્ર જેવું વાતાવરણ સર્જાયું છે. સરકારે જનતાની માંગણી મુજબ મુક્ત ન્યાયી અને સમાવેશી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી.

તેમણે આરોપ લગાવ્યો કે આ દરમિયાન ડૉ. મુહમ્મદ યુનુસને ગેરબંધારણીય રીતે વચગાળાની સરકારના વડા બનાવવામાં આવ્યા હતા. જ્યારે બંધારણમાં આવી કોઈ વચગાળાની સરકારની જોગવાઈ નથી.

આપણ વાંચો: ‘It hurts’ બાંગ્લાદેશમાં લઘુમતીઓ પર હિંસા મામલે આખી દુનિયામાં અવાજ ઉઠ્યા પણ ભારતનો વિપક્ષ….

ચૂંટણી અંગે કમિશન મૌન

મુર્શીદે એમ પણ કહ્યું કે મુખ્ય સલાહકાર લંડન ગયા હતા અને બીએનપીના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાનને મળ્યા હતા, ત્યારબાદ એવું કહેવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી 2025 માં ચૂંટણીઓ યોજાશે. પરંતુ ત્યારથી પરિસ્થિતિ સ્પષ્ટ નથી અને ચૂંટણી પંચ પણ અત્યાર સુધી મૌન છે.

સરકારની કેન્દ્રીય ભૂમિકા વિના ચૂંટણીઓ યોજવી અશક્ય

તેમણે કહ્યું કે, બધાની નજર ચૂંટણી પંચ પર છે. જેણે હજુ સુધી કોઈ ચોક્કસ તારીખ કે સમયપત્રક જાહેર કર્યું નથી. તાજેતરમાં, મુખ્ય ચૂંટણી કમિશનર એએમએમ નાસિર ઉદ્દીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારના સહયોગ વિના ચૂંટણી યોજવી શક્ય નથી.

ભલે ચૂંટણી પંચને સ્વતંત્ર કહેવામાં આવે પરંતુ વાસ્તવિકતા એ છે કે સરકારની કેન્દ્રીય ભૂમિકા વિના ચૂંટણીઓ યોજવી શક્ય નથી. તેમણે એમ પણ કહ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓ અને વહીવટી અધિકારીઓની મદદ વિના ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી શકાતી નથી.

આપણ વાંચો: બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર ને હિંદુવાદી સરકાર કેમ ચૂપ?

સામાન્ય ચૂંટણીઓ એપ્રિલ 2025ની યોજવાની જાહેરાત

એક તરફ ચૂંટણી પંચ સમય આવે ત્યારે સમયપત્રક નક્કી કરવાની વાત કરી રહ્યું છે. તો બીજી તરફ આ મહિનાની શરૂઆતમાં સરકારના મુખ્ય સલાહકાર ડૉ. મુહમ્મદ યુનુસે જાહેરાત કરી હતી કે સામાન્ય ચૂંટણીઓ એપ્રિલ 2025 ની શરૂઆતમાં યોજાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button