ઇન્ટરનેશનલનેશનલ

અફઘાનિસ્તાનમાં Muharram પર પ્રતિબંધ, તાલિબાનીઓએ ઝંડા ઉખાડયા તંબુઓ ઉખેડી નાખ્યા

કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન હેઠળ શિયા મુસ્લિમો ખૂબ જ પરેશાન હોવાનું સામે આવ્યું છે. અફઘાનિસ્તાનના શિયા મુસ્લિમોએ તાલિબાનીઓ પર ઝંડા ફાડી નાખવા અને તંબુઓ ઉખેડી નાખવાનો આરોપ લગાવ્યો છે. અફઘાન શિયા મુસ્લિમોએ કહ્યું કે તેમના જ દેશમાં તેમના પર અત્યાચાર થઈ રહ્યો છે. તાલિબાન તેમને મોહરમનો શોક કરવા દેતા નથી.

તાલિબાન શાસને મોહરમને લઈને કડક કાયદો બનાવ્યો

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસને મોહરમને લઈને કડક કાયદો બનાવ્યો છે. જે અંતર્ગત મોહરમ મનાવવા પર ઘણા નિયમો લાદવામાં આવ્યા છે. તાજેતરમાં, તાલિબાને હેરાત અને અન્ય કેટલાક પ્રાંતોમાં આશુરાના શોક કરનારાઓ સામે કડક પગલાં લીધાં છે, જેમાં શિયા સમુદાય પોતાને તાલિબાન દમન માટે સંવેદનશીલ જણાય છે.

તાલિબાનો દ્વારા મોહરમ મનાવવા પર પ્રતિબંધ

મીડિયા રિપોર્ટ અનુસાર હેરાતમાં તાલિબાને શિયા મુસ્લિમોને જૂથ દ્વારા નિયુક્ત ચોક્કસ સ્થળોએ જ મોહરમની ઉજવણી કરવાની સૂચના આપી છે. એક શિયા ધાર્મિક વિદ્વાને જણાવ્યું કે મોહરમને લઈને શિયા વિદ્વાનો સાથે ઘણી બેઠકો થઈ છે. તાલિબાને ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉજવણી નિયુક્ત અને મર્યાદિત વિસ્તારોમાં થવી જોઈએ.મોહરમ દરમિયાન રાહદારીઓ માટે કોઈ રસ્તો કે ફૂટપાથ બંધ ન કરવો જોઈએ.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં ભારે વરસાદના કારણે 40નાં મોત

તાલિબાન સરકારનો વિરોધ

હેરાતમાં તાલિબાનના ઇન્ફોર્મેશન એન્ડ કલ્ચર ડિરેક્ટોરેટના વડા અહમદુલ્લા મુત્તાકીનું એક ભાષણ હાલ સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યું છે. જેમાં તેમણે મોહરમની ઉજવણીને ‘રાજકીય અને વિદેશી નવીનતા’ ગણાવી છે. ગયા અઠવાડિયે મોહરમ ઓર્ગેનાઈઝિંગ કમિટીમાં શિયા વિદ્વાનો સાથેની બેઠક દરમિયાન તાલિબાનના એક અધિકારીએ કહ્યું કે આશુરા દરમિયાન રાજકીય નવીનતાઓ બંધ કરવી જોઈએ. બીજી તરફ મુત્તાકીના ભાષણ પર લોકોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

વિરોધ કરવા બદલ પાંચ લોકોની ધરપકડ

હેરાત પ્રાંતના જબ્રીઅલ ટાઉનશીપના લોકોએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસમાં તાલિબાનોએ રાત્રે ઘણી વખત શોક કરનારાઓના ઝંડા તોડી નાખ્યા હતા. તેમણે કહ્યું કે આક્રમક તાલિબાનો શિયા પ્રભુત્વ ધરાવતા જબ્રીઅલ વિસ્તારના પાંચ રહેવાસીઓની ધરપકડ કરી છે. આ જ કોલોનીના રહેવાસી અલી રઝાએ જણાવ્યું કે તાલિબાને આ વિસ્તારમાં ઘણા લોકોને તૈનાત કર્યા છે, જેઓ રાત્રે ઝંડા ફાડી નાખે છે.

શિયા મુસ્લિમોને ચૂપ રહેવાની ફરજ પડી

અલી રઝાએ કહ્યું કે, ‘છ-સાત દિવસથી અમે મોહરમની તૈયારી કરી રહ્યા છીએ, તંબુઓ લગાવી રહ્યા છીએ અને શોક સમારોહ માટે ચા-પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ, પરંતુ તાલિબાન અમારી અને અમારા ધર્મની વિરુદ્ધ છે.’ હેરાતના રહેવાસીઓએ જણાવ્યું કે ‘તાલિબાન દળો સુરક્ષા આપવાના બહાને રાત્રે રસ્તાઓ અને ઘરોના પ્રવેશદ્વાર પર લગાવેલા તંબુઓ અને ઝંડાઓ ઉખેડી નાખે છે. તાલિબાનો અમારી તરફ નફરતની નજરે જુએ છે અને અમને મૌન રહેવા મજબૂર કરવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?