આપણું ગુજરાત

કલાકારો ની મશ્કરીરૂપ કહેવાતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુવક મહોત્સવ આજથી શરૂ થયો

આજથી બે દિવસ માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નો યુવક મહોત્સવ શરૂ થયો છે. આમ જુઓ તો આ યુવક મહોત્સવ એ કલાકારોની મશ્કરીરૂપ સાબિત થશે. કારણકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં યુવક મહોત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવો અને ત્યાર પછી વેસ્ટ ઝોન યુથ ફેસ્ટિવલ અને ત્યાંથી પ્રથમ ક્રમાંકે આવી અને નેશનલ યુથ ફેસ્ટિવલમાં ભાગ લેવો તેરા દરેક કલાકારનું સ્વપ્ન હોય છે.પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તેના આંતરિક રાજકારણમાંથી ઊંચી આવે તો યુવા કલાકારો વિશે વિચારે ને? છેલ્લા ઘણા સમયથી યુવક યુવતીઓ,પદાધિકારીઓએ રજૂઆત કરી હતી પરંતુ કુલપતિ પોતાનું સ્થાન જમાવવામાં વ્યસ્ત હોય અને દાવ પેચ રમવાથી સમય કાઢે તો વિદ્યાર્થીઓ વિશે વિચારી શકે. આવા સંજોગોમાં ઓગસ્ટ મહિનામાં યોજાનાર યુથ ફેસ્ટિવલ છ સાત મહિના મોડો યોજાઇ રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલ મહોત્સવનું આયોજન તો કરી નાખ્યું છે.પરંતુ નિર્ણાયકો નિમવામાં સરકારી રાહે કાર્ય કર્યું હોય તેવું દેખાઈ આવે છે. ઉડીને આંખે વળગે તેવી બાબતોમાં નાટ્ય સ્પર્ધાઓ બંધ બારણે એટલે કે ઓડિટોરિયમ માં થવી જોઈએ.અને તે પણ પૂરતા લાઇટિંગ અને તમામ વ્યવસ્થાઓ સાથે તેની જગ્યાએ ભર બપોરે કલાકારોને નાટક ભજવવા માટે કહેવામાં આવે છે. નાટકો નો નંબર મેળવવો હોય તો તેમાં ઘણા પાસાઓ ધ્યાનમાં લેવાના હોય છે જેમાંનું એક પ્રકાશ આયોજન પણ હોય છે. નિર્ણાયક તરીકે તજજ્ઞોને નીમવામાં આવે તો યોગ્ય ન્યાય થયો ગણાય. પરંતુ અહીં તો એક નિર્ણાયક નાટક વાળા અનુભવી તો બીજા બે એવા નિર્ણાયકો છે જેનું નામ નાટ્ય જગતે સાંભળ્યું નથી.


Whatsapp પર નિર્ણાયકોને નિમણૂક પત્ર મોકલી દેવાય છે. જેમાં સમય 12:00 વાગ્યાનો હોય પરંતુ ત્યાં પહોંચે ત્યારે ખબર પડે કે સ્પર્ધા તો બે કલાક પછી શરૂ થવાની છે. ગમે ત્યારે સ્પર્ધાનો સમય બદલી નાખે પરંતુ નિર્ણાયકોને જાણ કરવાની નહીં. આવી તો ઘણી સ્પર્ધાઓ છે જેમાં પોતાની કોલેજના કલાકારો ભાગ લેતા હોય છતાં નિર્ણાયક તરીકે તે કોલેજના પ્રાધ્યાપકો નિર્ણાયક તરીકે સ્થાન જમાવે ત્યારે સ્વાભાવિક છે કે નિર્ણય બાબતે બીજા કલાકારોને અન્યાય થયા ની લાગણી પણ ક્યારેક અનુભવાય.

આ સંદર્ભે મીનાક્ષી પટેલ જેવો નિર્ણાયક નક્કી કરવાની પેનલમાં અગ્રેસર છે તેમને વારંવાર ફોન કરવા છતાં ફોન નો રીપ્લાય થયો.


અંતે કાર્યકારી કુલપતિ નીલમબરી દવેને ફોન કરતા તમામ અધિકારીઓ ત્યાં મળી ગયા હતા અને કાર્યકારી કુલપતિએ સ્વીકાર્યું પણ હતું કે અમે આ મહોત્સવનું આયોજન કરવામાં ખરેખર મોડા છીએ કારણકે આગળના કુલપતિએ એટલે કે ડોક્ટર ભીમાણીએ માત્ર રાજકારણમાં રસ લીધો અને વાતાવરણ એટલું બગાડીને ગયા હતા કે સમારકામમાં છ મહિનાના નીકળી ગયા. અત્યારે પરીક્ષાઓ નજીક છે એવા સંજોગોમાં ઘણા કલાકારોએ ભાગ લીધો નથી.


યુવક મહોત્સવ નું આયોજન કરવામાં સરકારી રાહ ન થાય તેના માટે જો યુનિવર્સિટીમાં કોઈ તજજ્ઞ ન હોય તો બહારથી બોલાવીને પણ તેમની સલાહ પ્રમાણે આયોજન કરવાથી કલાકારોને પૂરતો ન્યાય મળે અને સ્પર્ધાનું સ્તર પણ સુધરે. જોકે આવું વર્ષો વર્ષ અધિકારીઓને કહેવામાં આવે છે પરંતુ દર વર્ષે નવા નાકે નવી દિવાળી.


તેમ છતાં સકારાત્મક રીતે વિચારીએ તો યુવક મહોત્સવનું આયોજન તો થયું.બે-ચાર કલાકારો કંઈક પ્રોત્સાહન મેળવી અને આગળ વધી સંસ્કૃતિનું જતન કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…