આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

હવે અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવાની ઉઠી માગ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે રાજ્યની કેટલીક સીટો પર ભાજપને આંતરિક કલહનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલીક સીટ પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી રહી છે. ક્યાંક પોસ્ટર વોર તો ક્યાંક સોશિયલ મીડિયા દ્વારા ભાજપના ઉમેદવારો સામે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

વડોદરા, સાબરકાંઠા,પોરબંદર, પાટણ, વલસાડ અને હવે અમરેલીમાં ભાજપના ઉમેદવારનો વિરોધ કરતા પોસ્ટરો જોવા મળ્યા છે. ગુજરાતમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ તેનો સતત વિરોધ થઈ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે અમરેલી ભાજપના ઉમેદવાર સામે પણ વિરોધનો સુર ઉઠ્યો છે. અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પણ પોસ્ટર લાગ્યા છે.

મળતી વિગતો મુજબ અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગ્યા છે. અમરેલીના ધારી તાલુકાના ખીચા અને દેવળા ગામે ભાજપના ઉમેદવાર વિરૂદ્ધ બોર્ડ લાગતા રાજકારણ ગરમાયું છે. પોસ્ટરમાં “ભાજપના ઉમેદવાર બદલો લી. અમરેલીનો અવાજ”, “હમ ખાઈ ને કેજો, ભરત સુતરીયા હાલે?” જેવા પોસ્ટર લાગ્યા છે, આને બદલો ભાય આ 4 પાસ છે”. ભરત સુતરીયાના નામની જાહેરાત બાદ તેમની સામે આંતરિક રોષ જોવા મળી રહ્યો છે. જો કે આ પોસ્ટર કોણે લગાવ્યા તે હજુ જાળવા મળ્યું નથી.

અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં લાગેલા આ પોસ્ટરો અંગે ગામના આગેવાને જણાવ્યું હતુ કે, ધારીનાખીચા અને દેવળા જેવા વિવિધ વિસ્તારોમાં બોર્ડ લાગ્યા છે અમરેલીની જનતા કહે છે કે, આ ઉમેદવાર કોણ ? તેમને કોઈ ઓળખતું નથી તેમજ 3 ચોપડી ભણેલો ઉમેદવાર હોય તો ચર્ચાનો વિષય તો બનવાનો જ છે.

ઉલ્લેખનિય છે કે, ભાજપમાં લોકસભાના ઉમેદવારને લઈને આંતરિક વિખવાદ ઉભો થયો છે, હવે ખુલીને બહાર આવી રહ્યો છે એક બાદ એક સીટો પર ઉમેદવારને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે ડેમેજ કંટ્રોલ કરવામા નિષ્ફળ જતુ હોય તેવું લાગી રહ્યુ છે. કેટલીક સીટો પર ઉમેદવાર બદલાયા બાદ પણ વિરોધ ઉઠી રહ્યો છે ત્યારે અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે.

અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા સામે કોંગ્રેસે જેની ઠુમ્મર ચૂંટણીને મેદાને ઉતાર્યા છે, જેની ઠુમ્મર કોગ્રેસના પૂર્વ સાંસદ અને અગ્રણી નેતા વીરજી ઠુમ્મરના પુત્રી છે. જેની ઠુમ્મર અને ભરત સુતરીયા બંને લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. અમરેલીમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ છે, હવે જોવાની વાત એ છે કે જેની ઠુમ્મર સુશિક્ષિત ઉમેદવાર છે, જેની ઠુંમર લંડનની મિડલસેક્સ યુનિવર્સિટીમાંથી માનવ સંસાધન વ્યવસ્થાપનમાં એમબીએની પદવી ધરાવે છે. જ્યારે તેમની સામે ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે.

કોણ છે ભરત સુતરીયા?

અમરેલી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા વર્તમાન જિલ્લા પંચાયત પ્રમુખ છે, લાઠીના જરખિયા ગામના વતની અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે ખેડૂત પરિવારમાંથી આવતા ભરત સુતરીયા ખેડૂત વ્યસાય સાથે સંકળાયેલા છે. જેમને ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. જેઓ 1991થી ભાજપના કાર્યકર છે. વર્ષ 2009થી 2011 સુધી તાલુકા મહામંત્રી, 2010થી2015 સુધી તાલુકા પંચાયત પ્રમુખ, વર્ષ 2019થી નગરપાલિકા પ્રભારી સહિત પાર્ટીમાં નાના મોટી શહેર અને તાલુકાના જવાબદારી નિભાવી ચુક્યા છે. હાલ 6 માસથી જિલ્લા પંચાયતની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે ફરજ બજાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning