આપણું ગુજરાત

જરા ચેતજો : જસદણનાં ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ !

જસદણ: રાજકોટમાં 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. રાજકોટના જસદણમાં ગોખલાણા ગામમાં સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ ફૂડ પોઇઝનીંગની અસર જોવા મળી છે. ફ્રુડ પોઇઝનીગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી.

ઉનાળાનાં આરંભ થતા જ ફૂડ પોઈઝનિંગના કેસમાં વધારો થયો છે. ફરી એકવાર આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક-બે કે 10-12 નહીં પરંતુ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. જેમને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટ જીલ્લાના જસદણમાં ગોખલાણા ગામમાં સાંજે માતાજીના માંડવામાં પ્રસાદ લીધા બાદ અસર જોવા મળી છે. ફ્રુડ પોઇઝનીગની ઘટનામાં બાળકોને વધુ અસર થઈ હતી. તમામને સરકારી હોસ્પિટલ તેમજ આસપાસની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

ગઈકાલે મુંબઈમાં પણ બહારનું ચીકન ખાવાથી 12થી 15 લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. તો બીજી તરફ ગીર સોમનાથમાં લગ્ન પ્રસંગમાં શ્રીખંડ અને છાશ આરોગવાથી 200થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ થયુ હતુ. વેરાવળના માથાસુરી ગામે આ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. 50 જેટલા બાળકોને પણ ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…