
સુરત: સુરતમાં એક 13 વર્ષના છોકરાને ભગાડીને લઈ જનાર શિક્ષાકાને કોર્ટે જામીન આપી દીધા છે. પોલીસે આમાં અપહરણનો કેસ દાખલ કર્યો હતો, ત્યારે બાદ 13 વર્ષના છોકરા સાથે યૌન સંબંધ રાખ્યો હોવાના કારણે પોક્સો પણ લગાવવામાં આવી હતી. પોલીસે ધરપકડ કરી ત્યારે આરોપી મહિલાએ 13 વર્ષના છોકરા સાથે વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જેના કારણે તે ગર્ભવતી થઈ ગઈ હતી. ધરપકડ થયા બાદ કોર્ટના આદેશ દ્વારા ગર્ભપાતને મંજૂરી આપવામાં આવી હતી.
જામીન દરમિયાન સગીર બાળકથી દૂર રહેવું કોર્ટનો આદેશ
આ શિક્ષિકાને હવે કોર્ટે જામીન આપ્યા છે પરંતુ તેના પર કેટલીક શરતો રાખવામાં આવી છે. કોર્ટે કહ્યું કે, તે સગીર બાળકથી દૂર રહેવું પડશે. એટલું જ નહીં પરંતુ કોર્ટે એવું પણ કહ્યું છે કે મહિલા શિક્ષિકા ટ્રાયલ પૂર્ણ ન થાય ત્યાં સુધી પીડિત વિદ્યાર્થીના ઘરથી 1000 મીટરની અંદર પ્રવેશ કરશે નહીં. POCSO કોર્ટે વિગતવાર આદેશમાં આ શરતોનો ઉલ્લેખ કર્યો છે. શિક્ષિતાને શરતી જામીન આપવામાં આવ્યાં છે. જામીન મળ્યાં છે પરંતુ વિદ્યાર્થી કે તેના ઘરની આસપાસ જવાની પણ મનાઈ કરવામા આવી છે. જો શિક્ષિકા તેનો શરતોનો ભંગ કરશે તો તેની સામે વધુ આકરા પગલા લેવામાં આવી શકે છે.
યૌન સંબંધની પુષ્ટી થઈ ત્યારે પોલીસે પોક્સોની કલમ ઉમેરી
સુરતમાં બનેલી આ ઘટના માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતભરમાં ચર્ચાનો વિષય બની હતી. એક શિક્ષિકા પોતાના 13 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી જાય છે, એટલું જ નહીં પરંતુ ગર્ભવતી પણ બને છે. જેની મહિલા શિક્ષક પોલીસ સામે કબૂલતા પણ કરે છે. ગર્ભપાત કરાવ્યાં બાદ જ્યારે ભ્રૂણને ડીએનએ ચેક કરવામાં આવ્યું ત્યારે શિક્ષિકાએ વાત કહી હતી તેની પુષ્ટી પણ થઈ ગઈ હતી. તપાસ દરમિયાન પીડિત છોકરાએ પણ શરીર સંબંધ રાખ્યાં હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મહિલા શિક્ષક સામે અપહરણને ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ત્યાર બાદ જ્યારે યૌન સંબંધનું જાણવા મળ્યું અને પુષ્ટી થઈ ત્યારે પોલીસે પોક્સોની કલમ પણ ઉમેરી હતી. જ્યારે અત્યારે કોર્ટે મહિલાને શરતી જામીન આપ્યાં છે.
કેસમાં પોક્સો એક્ટની કલમ લાગુ નથી થતીઃ શિક્ષિકાનો વકીલ
કોર્ટમાં મહિલાના વકીલે બચાવમાં એવી દલીલ કરી હતી કે, પોલીસે આરોપી પર ખોટી કલમો લગાવી છે. આ કેસમાં પોક્સો એક્ટની કલમો લાગુ નથી થતી તેમ છતાં પણ લગાવવામાં આવી છે. આરોપી અને પીડિતી એકબીજાની સહમતીથી શરીર સંબંધ બનાવ્યો હતો. જો કે, પોલીસે દ્વારા દરેક દસ્તાવેજો કોર્ટમાં જમા કરાવી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તે શિક્ષિકા જામીન પર બહાર છે ત્યાં સુધી કેસ સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ધમકાવી કે ડરાવી નહીં શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત કોર્ટમાં એડિશનલ સેશન્સ જજ રાકેશ રજનીકાંત ભટ્ટની કોર્ટે આરોપી શિક્ષિકાને જામીન આપ્યા છે.
આ પણ વાંચો…ગૃહ મંત્રાલય દ્વારા ‘ઓપરેશન શિલ્ડ’ મોકડ્રીલની નવી તારીખ જાહેર