આપણું ગુજરાત

Gujarat Assembly: અમદાવાદમાં 70% CCTV કેમેરા કામ ન કરતા હોવાનો ઈમરાન ખેડાવાલાનો આરોપ, સરકારે આપ્યો આ જવાબ

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન કોંગ્રેસના વિધાનસભ્ય ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું કે અમદાવાદના રસ્તાઓ પર લાગેલા 70 ટકા સીસીટીવી કેમેરા કામ નથી કરતા અને તેના કારણે પોલીસને કેસની તપાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

એક લેખિત જવાબમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં 2022 અને 2023માં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમના ભંગ બદલ 21.07 લાખથી વધુ ઈ-મેમો જારી કરવામાં આવ્યા હતા. પોલીસે દંડ તરીકે 29 કરોડ રૂપિયાથી વધુ રકમ વસૂલ કરી છે.

આ અંગે ખેડાવાલાએ કહ્યું કે, “અમદાવાદ શહેરમાં, લગભગ 70 ટકા સીસીટીવી કેમેરા કાર્યરત સ્થિતિમાં નથી. જ્યારે અકસ્માત થાય છે, ત્યારે પોલીસને ગુનો ઉલેકવામાંમાં મુશ્કેલી પડે છે.”

આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેરમાં 1,705 જેટલા CCTV કાર્યરત છે અને તે બિન-કાર્યરત છે તેવું વિચારીને કોઈએ ભૂલ કરવી જોઈએ નહીં.”

ખેડાવાલાએ કહ્યું કે શહેરમાં લગભગ 6,000 સીસીટીવી કેમેરા છે. જોકે સંઘવીએ કહ્યું કે આ આંકડો ખોટો છે. તેમણે ઉમેર્યું હતું કે શહેરમાં બે પ્રકારના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે – એક કેન્દ્ર સરકારના મિશન સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ અને બીજો રાજ્યના ગૃહ વિભાગ હેઠળના છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…