મરણ નોંધ

હિન્દુ મરણ

કચ્છી લોહાણા
કચ્છ ગામ નારાયણ સરોવર હાલે મુલુંડ, સ્વ. ચંદ્રીકાબેન માધવજી કતીરાના સુપુત્ર ચિ. હેમંત કતીરા (ઉં. વ. ૬૫) તેઓ તા. ૨૮-૪-૨૪ના રામશરણ પામેલ છે. તે મીતાબેનના પતિ. અ.સૌ. ક્રિષ્ના કાર્તિક ઠક્કર, ચિ. પૂજાના પિતા. ચિ. હિયાના નાના. સ્વ. ગોદાવરીબેન પ્રધાનભાઈ રૂપારેલના જમાઈ. સ્વ. રતનબેન અર્જુનભાઈ કતીરા. સ્વ. રમીલાબેન વસંતભાઈ કતીરાના ભત્રીજા. તેમની પ્રાર્થના સભા તા. ૨-૫-૨૪ ગુરુવારે ૫.૩૦ થી ૭. ગોપુરમ હોલ, ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલ પાસે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
અ.સૌ. કલ્પના બાવલ (ઉં. વ. ૭૫) ગામ નખત્રાણા-કચ્છ હાલે મુલુંડ તે કીર્તિકુમાર બાવલના ધર્મપત્ની. સ્વ. રાધાબેન કાનજી રણછોડદાસના પુત્રવધૂ. સ્વ. વિરબાઈ ગંગારામ શ્રોતાની પુત્રી. અરવિંદ, મહેશ, સ્વ. પરેશ, સ્વ. સરસ્વતી, સ્વ. રૂક્ષ્મણિ, તારા, દમયંતિ, રમાના બહેન. સ્વ. વિશાખા નીલેશ કાનાણી, યામિની, હીમાંશુ શેઠ, ડૉ. ઉર્વશી ચીરંતન ચંચાણી, સંગીતા પુનિત ગણાત્રાના માતુશ્રી. જીલ, આરવ, માયરા અને અરહાનના નાની. તા. ૩૦-૪-૨૪ મંગળવારના રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકીક વ્યવહાર સદંતર બંધ છે.
મચ્છુ કઠિયા સઈ સુથાર જ્ઞાતિ
મૂળ ગામ જૂનાગઢ હાલ મીરારોડના સ્વ. વલ્લભભાઈ વાઘજીભાઈ ધમેચા (ઉં. વ. ૭૫) તા. ૨૯-૪-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ સ્વ. મધુબેનના પતિ. તેઓ વિજયભાઈના પિતા. પ્રાણજીવનભાઈના મોટાભાઈ. ભાણજીભાઈ દામજીભાઈ ચૌહાણ (જેતપુરવાળા)ના જમાઈ. તેમની તા. ૨-૫-૨૪ના ગુરુવારે ૫ થી ૬ ટેલિફોન બેસણું
રાખેલ છે.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
કેરીયાચાડ (અમરેલી) નિવાસી હાલ ઘાટકોપર પ્રકાશભાઈ (ઉં. વ. ૬૪) તે સ્વ. હરિભાઈ ખોડાભાઈ પટેલ, સ્વ. હેમલતાબેનના પુત્ર. તે કાશ્મીરાબેનના પતિ. ઈશા સિદ્ધાંતના પિતા. વસંતભાઈ, સ્વ. નવિનભાઈ, સ્વ. વિજયભાઈના ભાઈ. તે શાંતિલાલ છગનલાલ શાહના જમાઈ. રાજેસભાઈ મીતાબેન, ભારતીબેન બિપીનભાઈ, ઈલાબેન દિપકભાઈ, સ્વ. જયશ્રીબેન, જ્યોતિબેન કેતનભાઈના બનેવી તા. ૧ મેએ શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થના તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
નવગામ વીસાનાગર વણીક
માણસા નિવાસી હાલ મુંબઈ પરેશભાઈ (ઉં. વ. ૬૧) તા. ૩૦-૪-૨૪ મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સુધાબેન મોરલીધરભાઈના પુત્ર. અચલાબેનના પતિ. પ્રાચીના પિતા. અનવરકુમારના સસરા. સુમન, સોના, સેજુ, દિપીકા, વિજય, મનીષ, રાજુના ભાઈ. સ્વ. પ્રભાબેન બાબુલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨-૫-૨૪ના ૪ થી ૬ શ્રી ભાટીયા ભગીરથી ટ્રસ્ટ હોલ, ૮૮ દાદીશેઠ અગિયારી લેન, મુંબઈ-૨.
કચ્છી લોહાણા
રાજન મોરારજી ચોથાણી (ઉં.વ. ૮૪) મુળ ગામ બિદડા તા. માંડવી હાલ મુલુંડ વેસ્ટ તે શારદાબહેનના પતિ વિજય અને ચેતનના પિતા. વરૂણ મનન એમા તથા તેજના દાદા. તે ડિમ્પલ તથા તાન્યાના સસરા. તે કલ્યાણજી નારાયણજી ધીરાવાણીના જમાઈ. તે વામન કાંતિલાલ, વિમળાબેન, ગણાત્રા તથા ચચલબેન જોબનપુત્રાના ભાઈ. તા. ૩૦-૪ના અવસાન પામેલ છે, તેમની પ્રાર્થનાસભા. ગોપુરમ હોલ, આર. પી. રોડ, જ્ઞાનસરિતા સ્કુલ પાસે, મુલુંડ તા. ૨-૫-૨૪. ૫.૩૦ થી ૭.
મોઢ વણિક
જામનગર નિવાસી (હાલ ઘાટકોપર) સ્વ. પ્રભુદાસ રામજી મણિયારના પુત્ર બીપીનચંદ્ર પ્રભુદાસ મણિયાર (ઉં. વ. ૮૧) તા. ૩૦-૪-૨૪ ને મંગળવારના શ્રીજીચરણ પામ્યા છે. તે મંજુલાબેનના પતિ. સ્વ. રમેશચંદ્ર તથા સ્વ. સરોજબેનના ભાઈ. પાર્થિક તથા ભાવેશના પિતાજી. સોમા તથા બીજલના સસરાજી. સ્વ. મનસુખલાલ નાનચંદ વડોદરીયાના (કોચીન) જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
હાલાઈ ભાટીયા
ભરત આસર (ઉં. વ. ૭૦) તે તા. ૩૦-૪-૨૪, મંગળવારના સુરત મુકામે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. પુષ્પાબેન પુરુષોત્તમ આસરના દીકરા. સ્વ. ઉષાબેન, સ્વ. ચંદાબેન તથા ભૂપેન્દ્રના ભાઈ. અ.સૌ. સુલેખાના પતિ. તથા સ્વ. વલ્લભદાસ ગણપતદાસ રામૈયા (વેજાપુરવાળા)ના જમાઈ. તે અ.સૌ. રૂપા કલ્પેશ આઈસ્ક્રીમવાળા, અ.સૌ. ઉર્વી જીજ્ઞેશ શાહ તથા ચિ. દીયાના પિતાશ્રી. તે નિખીલ, કાયરા, રાહુલ, અંકિતા, નિશાંત તથા ચિ. દીશાંકના નાના-દાદા. પ્રાર્થના સભા: તા. ૨-૫-૨૪ના ગુરુવાર ૧૦ થી ૧૨. એ-૪૧૧, સુમન આસ્થા, નાયરા પેટ્રોલ પંપની પાસે, અલથાણ-ભીમરોડ, સુરત. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેસાઈ સઈ સુતાર જ્ઞાતિ
ગામ નીચા કોટડા (હાલ વસઈ) લીલાબેન ધનજીભાઈ ગોહિલ (ઉં. વ. ૮૫) તા. ૨૮-૪-૨૪ ને રવિવારના રામચરણ પામ્યા છે. તે છોટુભાઈ, હસમુખભાઈ, વિનોદભાઈ, ભાવનાબેનના માતુશ્રી. તે ચંદુબેન, રીટાબેન, દિપીકાબેનના સાસુ. તે કેવલ, દેવાંગ, મનાંશું, હેતલ, અપૂર્વા અને નિરાલીના દાદી. તે પાદરગઢ નિવાસી (હાલ મુંબઈ) બાબુભાઈ ભીખાભાઈ સરવૈયા, હિંમત ભીખાભાઈ સરવૈયા, રમણીકભાઈ ભીખાભાઈ સરવૈયા તે મંજુબેન, સ્વ. પ્રભાબેન, સ્વ. નીમુબેનના મોટાબેન (બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે) તેમની પ્રાર્થનાસભા તા. ૨-૫-૨૪ ને ગુરુવાર ૪ થી ૬. (લૌકિક પ્રથા બંધ છે) સ્થળ : નવું સ્વામિનારાયણ મંદિર, સાઈનગર, પાર્વતી ટોકીઝ પાછળ, વસઈ (વેસ્ટ).
સોરઠીયા પ્રજાપતિ કુંભાર
મૂળ ગામ બાટવા હાલ કલ્યાણ નિવાસી, ગં. સ્વ. લક્ષ્મીબેન (ઉં.વ.૯૨) ૩૦.૪.૨૪ મંગળવારના રામ ચરણ પામ્યા છે. જે હંસરાજભાઇ દેવજીભાઈ ચાવડાના ધર્મપત્ની, પ્રવીણ, દીપક, વિજયા મનોજભાઈ ઘેડીયા, સ્વ. રંજના મહેશ શિંગડિયા, છાયા ગિરીશ શાહના માતૃશ્રી. ભાવના, હર્ષાના સાસુમા. જતીન, હિતેન, નીરવ, પુનિતના દાદી. જલપા, જીનલ, રિદ્ધિના દાદીસાસુ. તથા હિતાંશ, પ્રિશા, મનનના પરદાદી. પ્રાર્થનાસભા ૨.૫.૨૪ના ગુરુવાર સાંજે ૪થી ૬ ભાલચંદ્ર દિનકર સભાગૃહ, ગણપતિ ચોક, શુ મોલની સામે, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, કલ્યાણ (પ) રાખેલ છે.
વડનગરા નાગર બ્રાહ્મણ
શ્રીમતી મીનાક્ષી દીક્ષિત (ઉં.વ. ૮૯) વતન નડિયાદ, હાલ મુંબઈ નિવાસી, તા. ૨૪/૪/૨૪ના અવસાન પામ્યા છે. તેઓ સ્વ. ચિત્તરંજન દીક્ષિતના પત્ની. મિતા, સૌમ્યા, પૂર્વીના માતુશ્રી. સ્વ. અજય ડીસોઝા, અંકુર દેસાઈના સાસુ. ચિ. વિહાનનાં દાદી. તેમની સ્મૃતિવંદના સભા: ગુરુવાર, તા. ૨/૫/૨૪ના ૫ થી૭, સ્થળ: સર્વોદય હોલ, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, ડાયમંડ ટોકીઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (૫).
કપોળ
ડેડાણવાળા હાલ કાંદિવલી સ્વ. દલપતરાય ઓધવજી ચિતલીયાના ધર્મપત્ની ગં.સ્વ. યશોમતિબેન (ઉં.વ. ૮૯) તે ૩૦/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હર્નિશ, જયશ્રી, કાનન, ચેતનાના માતુશ્રી. પૂજા, ગીરીશભાઈ મહેતા, વિજયભાઈ મેહતા, અતુલભાઈ ગોરડીયાના સાસુ. પિયરપક્ષે સ્વ. શામજી દેવરાજ સંઘવી રાજુલાવાળા દીકરી. સ્વ. નંદલાલભાઈ, સ્વ. ગુલાબબેન મહેતાના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પરજીયા સોની
મૂળગામ ગોંડલ હાલ કાંદિવલી સ્વ. હિંમતલાલ રતિલાલ સાગર (સોની)ના ધર્મપત્ની ગં.સ્વ. પદમાબેન (ઉં.વ. ૯૩) તે વિજય, અશોક, રાજેન્દ્ર તથા જયેશના માતુશ્રી. સ્વ. જયસુખભાઇ, સ્વ. ભાસ્કરભાઈ, સ્વ. હંસાબેન મનસુખલાલ ઝવેરીના ભાભી. ચૈતાલી, જય, અમર, મિતીશ, વિક્રમના દાદી. પિયરપક્ષે સ્વ. દેવરાજભાઇ જીવાભાઈ ધોરડાના દીકરી. ૨૯/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ છે.
મોડાસા એકડા વિશા ખડાયતા મોદી
નવી મુંબઈ કલંબોલી સ્થિત સ્વ. કનૈયાલાલ ડી શેઠના ધર્મપત્ની તથા વર્ષા શેઠના માતુશ્રી. ગં.સ્વ. નિર્મળાબેન શેઠ (ઉં.વ. ૮૦) તે ૨૯/૪/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હિંમતનગર નિવાસી સ્વ. શાંતાબેન હીરાલાલ શાહના દીકરી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
લુહાર સુથાર
જેતપુર વાળા હાલ અંધેરી સ્વ. ઇશ્ર્વરભાઇ નાથાભાઈ પરમારના ધર્મપત્ની સ્વ. કુંદનબેન (ઉં.વ. ૬૭) તા. ૨૯/૪/૨૪ સોમવારના અક્ષરધામ પામેલ છે. તે અલ્કા રાકેશકુમાર પીઠવા, ડિમ્પલ સુધાકર કુમાર સાલીયનના માતુશ્રી. તે સ્વ. લવજીભાઈ, સ્વ. જેંતીભાઈ, નરોત્તમભાઈ, સ્વ. જયસુખભાઈ, ધીરુભાઈ, સ્વ. ગંગાબેન બાબુભાઈ કવા, સ્વ. મંગુબેન પ્રેમજીભાઈ વાધેલા, સ્વ. સવિતાબેન વ્રજલાલ સિધ્ધપુરા, જયશ્રીબેન જેંતીલાલ પીઠવાના ભાભી. તે બગસરા વાળા સુરેશભાઈ ધુસાભાઈ ડોડીયાના બેન. તે યશા, કવિષના નાની. તેમની સાદડી શુક્રવાર, તા. ૩/૫/૨૪ના ૯.૦૦ થી ૧૦.૩૦. સ્થળ: લુહાર સુથાર વાડી કાર્ટર રોડ નં.૫, અંબાજી મંદિરની પાસે, બોરીવલી ઈસ્ટ.
કચ્છી ભાટિયા
સ્વ. રતનલાલ કૃષ્ણદાસ ભાટિયા (રામૈયા). તે સ્વ. ગોકુલદાસ ગુણવંતીના જમાઈ. અ.સૌ. મીનાબેનના પતિ. પલ્લવી અને જ્યોતિબેનના પિતા. સ્વ. પદમશી, કમલાબેનના ભાઈ. સ્વ. દિલીપ, સ્વ. અશોક, વંદનાબેન પ્રદીપભાઈ અને મનોજના કાકા. ચિ. ગૌરવ, કરણ, પાર્થના દાદાનું સ્વર્ગવાસ તા. ૩૦-૪-૨૪ના થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…