મનોરંજન

સંજય કપૂરના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે? પરિવારે આવી જાણકારી

નવી દિલ્હીઃ બોલિવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું 12 જુન 2025ના રોજ અવસાન થયું હતું. તેમના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જાણવા મળ્યું હતું. સંજય કપૂર ઇંગ્લેન્ડના પોલો ગ્રાઉન્ડમાં મેચ રમતી વખતે ભૂલથી મધમાખીને ગળી ગયા હતા. ત્યારબાદ તેમનું 53 વર્ષની વયે અવસાન થયું. તેમના અંતિમ સંસ્કાર અંગે એક મહત્વની અપડેટ આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે સંજય કપૂરના અંતિમ સંસ્કાaર આજે ગુરુવારે નવી દિલ્હીમાં કરવામાં આવશે.

દિલ્હીમાં સાંજે 5 વાગે લોઘી રોડ શ્મશાન ઘાટ પર અંતિમ સંસ્કાર થશે

મીડિયા રિપોર્સ્ટ પ્રમાણે બુધવારે તેમના પરિવાર દ્વારા મીડિયા સાથે વાત કરતા અંતિમ સંસ્કાર ક્યાં થશે તે જણાવ્યું હતું. સંજય કપૂરના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હીમાં કરવામાં આવશે. પરિવારના જણાવ્યાં પ્રમાણે અંતિમ સંસ્કાર આજે સાંજે 5 વાગે લોઘી રોડ શ્મશાન ઘાટ પર કરવામાં આવશે. ત્યાર બાદ 22 જૂને તાજ પેલેસ, નવી દિલ્હી ખાતે સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન પ્રાર્થના સભા રાખવામાં આવશે. પ્રશ્ન એવો પણ થયો છે, સંજય કપૂરના અંતિમ સંસ્કારમાં આટલું લેટ કેમ થયું? પરિવારે કહ્યું કે, કાનૂની સમસ્યા હોવાથી અંતિમ સંસ્કારમાં વિલંબ થઈ રહ્યો છે. સંજય કપૂર પાસે યૂએસ નાગરિકતા હોવાથી પણ વિલંબ થયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો -‏‏‎ મન્નારા ચોપરા પિતાના નિધનથી શોકગ્રસ્ત, અંતિમસંસ્કાર વખતે વ્યથિત જોવા મળી

સંજય કપૂરના મૃતદેહને ભારત લાવવામાં 1 અઠવાડિયાનો સમય લાગ્યો

સંજય કપૂરનું અવસાન ઈંગ્લેન્ડમાં થયું હતું, પરંતુ તેમના અંતિમ સંસ્કાર દિલ્હી ખાતે કરવામાં આવશે. સૂત્રો દ્વારા એવું જણવા મળ્યું છે કે, તેમનું પોસ્ટમોર્ટમ લંડનમાં કરવામાં આવ્યું છે. વિગતો એવી પણ પ્રકાશમાં આવી છે કે, કાગદીકામ પૂર્ણ ના થાય ત્યાં સુધી સંજય કપૂરના મૃતદેહને ભારત લાવી શકાશે નહીં. આ કારણે સંજય કપૂરને ભારત લાવવામાં લગભગ એક અઠવાડિયાનો સમય લાગ્યો છે. આજે દિલ્હીમાં સંજય કપૂરના અંતિમ સંસ્કાર થશે તેવું તેમના પરિવારે જણાવ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button