મનોરંજન

આજે રિલીઝ નહીં થાય સોનાક્ષીની ફિલ્મ ‘નિકિતા રોય’! શું કાજોલની ‘માં’ અને પ્રભાસની ‘કન્નપ્પા’થી ડર લાગ્યો?

મુંબઈઃ બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિંહા લગ્ન કર્યા બાદ પછી હવે ‘‘નિકિતા રોય’’ ફિલ્મમાં જોવા મળી છે. ફિલ્મના નિર્માતાઓએ ‘નિકિતા રોય’ દ્વારા ફિલ્મની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ‘‘નિકિતા રોય’’ 27 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ હવે નિર્માતાઓએ એક નિવેદન જારી કરીને ફિલ્મની રિલીઝ તારીખ મુલતવી રાખી છે. તો હવે સોનાક્ષી સિંહા, પરેશ રાવલ અને અર્જુન રામપાલની ફિલ્મ ક્યારે રિલીઝ કરવામાં આવશે? ‘નિકિતા રોય’ ફિલ્મને કોનો ડર લાગ્યો? ચાલો જાણીએ સંપૂર્ણ વિગતો…

રિલીઝના દિવસે જ શા માટે તારીખ બદલવામાં આવી?

સોનાક્ષી સિંહાની નવી ફિલ્મ ‘નિકિતા રોય’ની રિલીઝ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની જાણકારી ખૂદ મેકર્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને આપી છે. પરંતુ રિલીઝના દિવસે જ શા માટે તારીખ બદલવામાં આવી? મેકર્સે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે, અમે બહુવિધ રિલીઝ અને સ્ક્રીન માટે લડી રહ્યા છીએ, ફિલ્મ જગતના અમારા શુભેચ્છકો, વિતરકો અને પ્રદર્શકોની સલાહથી અમે સામૂહિક રીતે અમારી ફિલ્મને 18 જુલાઈ સુધી મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, જેથી અમે વધુને વધુ પ્રેક્ષકો સુધી પહોંચી શકીએ’.

‘નિકિતા રોય’ ફિલ્મનું દિગ્દર્શન શત્રુઘ્ન સિંહાના દીકરા કુશે કર્યું

આવી રીતે રિલીઝના દિવસે ફિલ્મને રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો તેના કારણે દર્શકોમાં થોડી નારાજગી જોવા મળી છે. આ ફિલ્મનું દિગ્દર્શન શત્રુઘ્ન સિંહાના દીકરા કુશે કર્યું. કુશ પોસ્ટમાં લખ્યું જે કે, અત્યાર સુધી ફિલ્મ માટે બતાવેલા અપાર પ્રેમ બદલ આભાર, પરંતુ તમારે થોડી રાહ જોવી પડશે, અને અમે તમને વચન આપીએ છીએ, 18 જુલાઈ રાહ જોવા યોગ્ય રહેશે! થિયેટરોમાં મળીશુ. આ ફિલ્મને હવે 18મી જુલાઈએ રિલીઝ કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. 18મી જુલાઈ રાહ જોવા માટે યોગ્ય છે એવું જણાવ્યું છે. હવે 18 જુલાઈએ રિલીઝ થશે કે કેમ? તે એક પ્રશ્ન છે.

શું ‘નિકિતા રોય’ ફિલ્મને કાજોલની ફિલ્મ ‘માં’ નો ડર લાગ્યો?

સોશિયલ મીડિયામાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, આ ‘નિકિતા રોય’ ફિલ્મને કાજોલની ફિલ્મ ‘માં’ નો ડર લાગ્યો છે. ‘માં’ ફિલ્મ પણ બોક્સ પર આજે રિલીઝ થઈ છે. ખાસ વાત એ પણ છે કે, ‘માં’ ફિલ્મને લઈ દર્શકોમાં ઉત્સાહ પણ એટલો જ જોવા મળ્યો છે જેના કારણે ‘નિકિતા રોય’ ફિલ્મની રિલીઝ ડેટ ટાળી દેવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ‘માં’ સાથે સાઉથની કન્નપ્પા પણ આવતીકાલે રિલીઝ થઈ રહી છે, જેમાં અક્ષય કુમાર અને પ્રભાસ જેવા સુપરસ્ટારે કામ કર્યું છે. આ કારણે જવાબદાર હોઈ શકે છે. કારણે આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ચાલતી હોય તો સ્વાભાવિક છે કે કમાણીમાં ઘટાડો થવાનો જ છે.

આ પણ વાંચો…સોનાક્ષી સિંહાની ‘નિકિતા રોય’ને થિયેટરમાં સ્ક્રીન નહીં મળી, નિર્માતાઓએ લીધો આ નિર્ણય…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button