મનોરંજન

‘કન્નપ્પા’ ફિલ્મ પાઇરસીનો બની શિકાર: નિર્માતાઓએ 30,000 લિંક્સ હટાવી!

તેલુગુ અભિનેતા વિષ્ણુ માંચુની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કનપ્પા’ 27 જૂને વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ એક્શન ફેન્ટસી ડ્રામા ફિલ્મમાં વિષ્ણુ માંચુ મુખ્ય ભૂમિકામાં છે અને તેમાં દક્ષિણના સુપરસ્ટાર મોહનલાલ, પેન ઈન્ડિયા સ્ટાર પ્રભાસ, બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને કાજલ અગ્રવાલ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. પરંતુ, ‘કન્નપ્પા’ રિલીઝ થયા પછી તરત જ પાઇરસીનો શિકાર બની ગઈ છે.

આ ફિલ્મની પાઇરેટેડ નકલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી, જેની સામે ફિલ્મના નિર્માતાઓએ હવે કડક કાર્યવાહી કરી છે. બીજી તરફ, વિષ્ણુ માંચુએ પણ પોસ્ટ શેર કરી અને દર્શકોને પાઇરેટેડ ફિલ્મ ન જોવાની અપીલ કરી.

આ પણ વાંચો: સોનાક્ષી સિંહાએ ખોલ્યું સલમાન ખાનના સ્ટારડમનું રહસ્ય: ‘એને ખુદને પણ નથી ખબર કે…’

27 જૂનના રોજ રિલીઝ થયેલી ‘કન્નપ્પા’ની પાઇરેટેડ કોપી ઇન્ટરનેટ પર આવતાની સાથે જ નિર્માતાઓએ પણ ઝડપથી કાર્યવાહી કરી અને યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને એક્સ સહિત તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને સાઇટ્સ પરથી ફિલ્મની લિંક્સ દૂર કરી દીધી, જેના દ્વારા ફિલ્મનું પાઇરેટેડ વર્ઝન પ્રસારિત થઈ રહ્યું હતું.

અત્યાર સુધીમાં નિર્માતાઓએ લગભગ 30,000 લિંક્સ દૂર કરી છે જેના દ્વારા ‘કન્નપ્પા’ની પાઇરેટેડ કોપી ફરતી થઈ રહી હતી. ‘કન્નપ્પા’ના નિર્માતાઓએ ફિલ્મની પાઇરસી અંગે સત્તાવાર નિવેદન પણ બહાર પાડ્યું છે.

વિષ્ણુ માંચુએ એક્સ પર પોસ્ટ કરીને આને રીતસરની પાઈરસી, ચોરી હોવાનું કહ્યું અને લોકોને જણાવ્યું કે 30,000થી વધુ લિંક્સ દૂર કરી છે. સાથે તેણે લોકોને પાઈરેટેડ વર્ઝન ન જોવા પણ અપીલ કરી. તેણે ભાવનાત્મક પોસ્ટમાં લખ્યું કે, ‘આપણે આપણા બાળકોને ચોરી કરવાનું શીખવતા નથી. પાઇરેટેડ કન્ટેન્ટ જોવું એ પણ તેવી જ વાત છે. કૃપા કરીને તેનો પ્રચાર ન કરો. સિનેમાને યોગ્ય રીતે ટેકો આપો. હર હર મહાદેવ.’

આ પણ વાંચો: શ્વેતા તિવારીને મારવા પર રાજા ચૌધરીનો ખુલાસો: જાણો શું છે હકીકત?

તમને જણાવી દઈએ કે, વિષ્ણુ માંચુ અભિનીત ફિલ્મ ‘કન્નપ્પા’ બોક્સ ઓફિસ પર કાજોલની ફિલ્મ ‘મા’ સાથે સ્પર્ધા કરી રહી છે. બંને ફિલ્મો એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને કમાણીની દ્રષ્ટિએ એકબીજાથી થોડી આગળ અને પાછળ છે. ફિલ્મની રિલીઝ પહેલા અક્ષય કુમારે એક પોસ્ટ પણ શેર કરી હતી જેમાં તેણે ‘કન્નપ્પા’ અને મા ફિલ્મની બોક્સ ઓફિસ ટક્કર અંગે અજય દેવગનને ખાસ અપીલ કરી હતી.

અક્ષયે પોતાની પોસ્ટમાં લખ્યું હતું – ‘યાર અજય, આપણી બંનેની ફિલ્મ શુક્રવારે આવી રહી છે. તું તારા ચાહકોની શુભકામનાઓ કન્નપ્પાને મોકલ અને હું મારા મહાદેવના આશીર્વાદ મા ને મોકલું છું. શું કહે છે? કાજોલ અને તમને શુભકામનાઓ ભાઈ .. શક્તિ તમારી સાથે રહે.’ આના પર પ્રતિક્રિયા આપતા અજય દેવગણે લખ્યું- ‘તું ત્રિશૂળ લઈને આવ અને હું માતાના આશીર્વાદ લઈ આવીશ… આપણને બંનેને શુભકામનાઓ.’

આ પણ વાંચો: સ્મૃતિ ઈરાનીએ કેમ છોડી ક્યોં કી સાસ ભી કભી બહુ થી સિરીયલ, કર્યો ચોંકાવનારો ખુલાસો…

ફિલ્મના કલેક્શનની વાત કરીએ તો, વિષ્ણુ માંચુની ફિલ્મને પણ સપ્તાહના અંતે ફાયદો થયો છે. ફિલ્મે શરૂઆતના દિવસે 9.35 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. શનિવારે ફિલ્મે 7.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રવિવારે, ફિલ્મે બોક્સ ઓફિસ પર 7.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું. આમ, ફિલ્મે ત્રણ દિવસમાં 23.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button