મનોરંજન

છૂટાછેડા પછી પણ જેનિફરનો દબદબો: જાણો તેની કેટલી છે સંપત્તિ?

જેનિફર વિંગેટનું નામ ટીવીની પ્રખ્યાત અને અમીર અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. આ અભિનેત્રી આવતીકાલે એટલે કે 30 મેના રોજ 40 વર્ષની થશે. આજે તેમની નેટવર્થ વિશે જણાવી રહ્યા છીએ. છૂટાછેડા પછી પણ આ અભિનેત્રી વૈભવી જીવન જીવી રહી છે.

જેનિફરે બાળ કલાકાર તરીકે પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તે ફિલ્મ ‘રાજા કી આયેગી બારાત’માં જોવા મળી હતી, ત્યાર બાદ અભિનેત્રીએ ‘શકા લાકા બૂમ બૂમ’ જેવા ઘણા હિટ ટીવી શોમાં કામ કરીને પોતાની ખાસ ઓળખ બનાવી હતી.

આપણ વાંચો: દુનિયાની સૌથી મોંધી ચાઈલ્ડ આર્ટિસ્ટ કોણ છે, એટલી ફી લે છે બોલીવુડની અભિનેત્રીઓ શરમાઈ જશે…

ટીવી પર ખ્યાતિ મેળવ્યા પછી અભિનેત્રીએ OTT પર પણ કામ કર્યું છે. અત્યાર સુધી તે ઘણી સુપરહિટ વેબ-સિરીઝમાં પણ જોવા મળી છે, જેમાં તેના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. પોતાની મહેનતને કારણે આ અભિનેત્રી આજે વૈભવી જીવનની માલિક છે. તેણે અભિનય દ્વારા કરોડોની સંપત્તિ ભેગી કરી છે.

જો અહેવાલોનું માનીએ તો જેનિફર વિંગેટ લગભગ 42 કરોડ રૂપિયાની માલિક છે. તેનું મુંબઈમાં પોતાનું ઘર અને ઘણી લક્ઝરી કાર પણ છે. જેનિફર એક ટીવી શો માટે લગભગ 1.5 કરોડ રૂપિયાની તગડી ફી લે છે. નાના પડદાની સૌથી ધનિક અભિનેત્રીઓની યાદીમાં તેનું નામ સામેલ છે.

અંગત જીવનની વાત કરીએ તો જેનિફર વિંગેટે 2012માં અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી બંને વચ્ચે મતભેદો શરૂ થયા. આ પછી દંપતીએ છૂટાછેડા લીધા અને અલગ થઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button