મનોરંજન

પાકિસ્તાની અભિનેત્રી બુશરા અન્સારીને કદ પ્રમાણે વેતરી નાખે જાવેદ અખ્તરે

ભારત-પાકિસ્તાનના સંબંધો હંમેશાં તણાવભર્યા રહ્યા છતાં કલાકારોને એકબીજા દેશે પસંદ કર્યા અને ખાસ કરીને ભારતે પાકિસ્તાની કલાકારોની હંમેશાં સરાહના કરી, પરંતુ તાજેતરમાં થયેલા પહેલાગામ હુમલા અને ત્યારબાદના ઑપરેશન સિંદૂર બાદ મોટાભાગના પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટરોના સૂર બદલાયા અને તેમણે બારત સામે ઝેર ઓક્યુ ત્યારે આવી જ એક પાકિસ્તાની અભિનેત્રી બુશરા અન્સારીએ પણ ભારતમાં મુસ્લિમોની સ્થિતિ વિશે નિવેદન આપ્યું હતું, પરંતુ બુશીરાને જડબાતોડ જવાબ પ્રસિદ્ધ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે આપ્યો છે.

બુશરાએ એમ કહ્યું હતું કે ભારતમાં મુસ્લિમોને ભાડે ઘર નથી મળતા અને આ સમસ્યા શબાના આઝમી અને જાવેદ અખ્તરને પણ નડી હતી. એક ઈન્ટરવ્યુમાં અખ્તરે કહ્યું કે બુશરા અન્સારી કહે છે કે મારે નસિરૂદ્દીન શાહની જેમ ચુપ રહેવું જોઈએ. પણ હું શા માટે ચુપ રહું. મારા દેશમાં ઘણી સમસ્યા છે, પરંતુ બહારના લોકોએ તેના વિશે બોલવાની જરૂર નથી. તેઓ પોતાના દેશનું જુએ.

આપણ વાંચો: પાકિસ્તાન કરતા હું નર્કમાં જવાનું પસંદ કરું! પુસ્તક વિમોચન કાર્યક્રમમાં જાવેદ અખ્તરે કરી મોટી વાત

ભાડાના ઘર ન મળવાના નિવેદનની ટીખળ કરતા તેમણે કહ્યું હતું કે હા હું અને શબાના તો રસ્તા પર રહેતા હતા. જોકે આ 25 વર્ષ પહેલાની વાત યાદ કરતા તેમણે બુશરાને બરાબરની ઝાટકી હતી.

તેમણે કહ્યું હતું કે શબાના રોકાણ કરવા માટે એક ફ્લેટ ખરીદવા માગતી હતી, પણ તે મુસ્લિમ હોવાના કારણે બ્રોકરે તેમને ફ્લેટ ન અપાવ્યો. ત્યારબાદ તેમણે બુશરાને સંબોધીને કહ્યું કે આમ થવા પાછળનું કારણ પણ પાકિસ્તાનીઓ જ છે કારણ કે તેમણે શબાનાના પરિવારને સિંધમાંથી કાઢી મૂક્યા હતા.

બુશરા પાકિસ્તાનની 69 વર્ષીય અભિનેત્રી છે, જે 70ના દાયકામાં ટીવી સિરિયલો અને ફિલ્મોમાં દેખાતી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button