મનોરંજન

ગાંગુલીની બાયોપિકમાં રણબીર કપૂર નહિ તો કોણ? મીડિયા રિપોર્ટ્ઝમાં થયો ચોંકાવનારો દાવો

Sourav Ganguly Biopicમાં અગાઉ રણબીર કપૂરને લેવાની અટકળો હતી, પરંતુ હવે રણબીરને બદલે આ ભૂમિકા આયુષ્માન ખુરાના ભજવશે તેવો અમુક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન તથા BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીની બાયોપિકની સિનેમાલવર્સ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. એવામાં મુખ્ય પાત્ર કોણ ભજવશે એ તો કાસ્ટિંગ પતે એ પછી જ ક્લિયર થશે.

ભારતીય ક્રિકેટ ટીમના ‘દાદા’ના જીવન પર બનેલી ફિલ્મમાં ભૂમિકા ભજવનારા અભિનેતા માટે આ ફિલ્મ તેની કારકિર્દીની સૌથી મહત્વની ફિલ્મ સાબિત થઇ શકે એમ છે. લવ રંજન અને અંકુર ગર્ગ દ્વારા આ ફિલ્મને પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે અને ફિલ્મના દિગ્દર્શક તરીકે વિક્રમાદિત્ય મોટવાણેની પસંદગી કરવામાં આવી છે. હવે એ માહિતી મળી રહી છે કે આયુષ્માનને વિધિવત રીતે સાઇન પણ કરી લેવામાં આવ્યો છે, જો કે સત્તાવાર જાહેરાત થવાનું બાકી છે.

આ ફિલ્મનું પહેલા શેડ્યુલનું શૂટિંગ શરૂ થાય એ પહેલા આયુષ્માન ખુરાના ક્રિકેટની સઘન તાલીમ લેશે. આ ફિલ્મ વર્ષ 2024ના સેકન્ડ હાફમાં ફ્લોર પર આવશે અને નિર્માતાઓ ટૂંક જ સમયમાં તેની જાહેરાત કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…