Happy Birthday: 50ની થઈ એકતા કપૂર તો સ્મૃતિ ઈરાનીએ લખી આવી ઈમોશનલ પોસ્ટ

મુંબઈઃ ટીવી સિરિયલોની ક્વીન પ્રોડ્યુસર ગણાતી એકતા કપૂરનો આજે 07 જૂને 50મો જન્મદિવસ છે. એકતા કપૂરના જન્મદિવસ માટે ભાજપ નેતા અને તેની મિત્ર સ્મૃતિ ઈરાનીએ એક ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે. સ્મૃતિ ઈરાનીએ એકતા સાથેની તસવીર પોસ્ટ કરીને લાગણીસભર પંક્તિઓ લખી છે. સ્મૃતિ ઈરાનીની આ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને ચાહકો ટિપ્પણી પણ કરી રહ્યા છે.
સ્મૃતિ ઈરાનીએ એક્તા કપૂર માટે શેર કરી ભાવનાત્મક પોસ્ટ
સ્મૃતિ ઈરાનીએ ફોટો શેર કરતીને લખ્યું કે, તે રાત્રે, અમે જુહુની શાંત ગલીઓથી સિદ્ધિવિનાયકના પવિત્ર પગથિયાં સુધી ચાલ્યા. ઉજવણી કરવા માટે નહીં, પણ શરણાગતિ સ્વીકારવા માટે. જ્યારે હું એક સ્વપ્નનો પીછો કરી રહી હતી, ત્યારે તેણીએ મૌન પ્રતિજ્ઞા લીધી હતી. અને તેણે આ પ્રાર્થના પોતાના માટે નહીં પણ મારા માટે કરી હતી. જ્યારે સપના સાકાર થયા, જ્યારે દુનિયાએ તાળીઓ પાડી – ત્યારે તેણે તાળીઓનો આનંદ માણવા માટે ફોન નહોતો કર્યો….”
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી એક્તા કપૂરના વખાણ કર્યાં
વધુમાં એક્તા કપૂરના વખાણ કરતા સ્મૃતિ ઇરાનીએ લખ્યું કે, તેણે મને યાદ અપાવ્યું કે, આપણે બપ્પાનો આભાર માનવાનો છે. તેની દુનિયામાં કૃતજ્ઞતા ગૌરવથી આગળ છે. દુનિયા તેને એક તેજ, મજબૂત ઇચ્છાશક્તિ, શબ્દો અને દૃઢ નિશ્ચય ધરાવતી સ્ત્રી તરીકે જાણે છે, પણ હું તેના મૌનને પણ જાણું છું’. નોંધનીય છે કે, સ્મૃતિ ઈરાનીએ પોતાના દરેક શબ્દે શબ્દે વખાણ કર્યાં હતાં. અત્યારે તેઓ ફરી એક જૂના પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યાં છે.
વર્ષો જૂની છે સ્મૃતિ ઈરાની અને એકતા કપૂરની મિત્રતા
સ્મૃતિએ આ પોસ્ટ દ્વારા એકતા કપૂરને તેના 50મા જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. સ્મૃતિ ઈરાની અને એકતા કપૂરની મિત્રતા ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ ના સમયથી ચાલી આવે છે. સ્મૃતિ તે સિરિયલમાં તુલસીનું પાત્ર ભજવતી હતી. તુલસીના પાત્રે સ્મૃતિ ઈરાનીને દરેક ઘરમાં પ્રખ્યાત બનાવી છે. અત્યારે ફરી એક્તા કપૂર અને સ્મૃતિ ઈરાની ‘ક્યુંકી સાસ ભી કભી બહુ થી’ સીઝન 2 માટે સાથે કામ કરી રહ્યાં છે. આ સીરિયલ ફરી બીજા ભાગ સ્વરૂપે શરૂ થવાની છે.
આ પણ વાંચો….ક્યુંકી સાસ ભી કભી બહુ થી સીરિયલમાં ફરી જોવા મળશે સ્મૃતિ ઈરાની? જાણો શું કહે છે સૂત્રો…