શું સંજય કપૂરને મોતનો અણસાર આવી ગયો હતો?

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું 53 વર્ષની વયે નિધન થયું છે. ગુરુવારે યુકેમાં પોલો રમતી વખતે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. આ ઘટનાએ બધાને હચમચાવી દીધા છે. સંજયની મોતના ત્રણ દિવસ પહેલાંની એક એક્સ પોસ્ટ હાલમાં વાયરલ થઈ રહી છે, જેમાં તેમણે જાણે પોતાના અંતનો આભાસ વ્યક્ત કર્યો હોય તેવું લાગી રહ્યું છે.
સંજય કપૂરે તેમના નિધનના ત્રણ દિવસ અગાઉ એક્સ પર ‘મંડે મોટિવેશન’ શેર કર્યું હતું, જેમાં તેમણે કેપ્શનમાં લખ્યું હતું, “પ્રગતિ માટે બોલ્ડ ચોઈસની જરૂર છે, પરફેક્ટ કનડિશનની નહીં”. આ પોસ્ટમાં તેણે લખ્યું હતું કે ધરતી પર તમારો સમય મર્યાદિત છે. ‘શું થશે’ એ પ્રશ્નો ફિલોસોફરો પર છોડી દો. ‘કેમ ન થઈ શકે’ એ વિશે વિચારો.”
આ પોસ્ટને હવે ચાહકો તેમની મૃત્યુ સાથે જોડી રહ્યા છે. આ પોસ્ટને લઈ ચર્ચાને વિષય બન્યો છે કે, શું સંજયને પોતાના અંતનો અણસાર થઈ ગયો હતો? આ પોસ્ટે સોશિયલ મીડિયા પર ભારે હલચલ મચાવી છે.
જણાવી દઈએ કે સંજયે છેલ્લી પોસ્ટમાં અમદાવાદ થયેલ પ્લેન ક્રેશ પર સાંત્વના વ્યક્ત કરવા માટે કરી હતી. સંજય અને કરિશ્મા કપૂરના 2003માં લગ્ન થયા હતા અને તેમને બે સંતાનો – સમાયરા અને કિયાન છે. 2014માં બંને અલગ થયા અને 2016માં તેમનો છૂટાછેડો થયો. 2017માં સંજયે મોડેલ પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા, જેમની સાથે તેમને એક પુત્ર અઝારિયસ છે.
આ પણ વાંચો…કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું હૃદયરોગના હુમલાથી નિધન