અમિતાભ બચ્ચને અયોધ્યાનગરીમાં ચોથો પ્લોટ ખરીદ્યોઃ મુંબઈ છોડી અહીં રહેવા માગે છે કે પછી…

અયોધ્યા, મુંબઈઃ હિંદી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચેને (Megastar Amitabh Bachchan) ફરી એકવાર અયોધ્યામાં રોકાણ કર્યું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. અમિતાભ બચ્ચને મુંબઈ તો બહોળા પ્રમાણમાં રોકાણ કર્યું છે, તેની સાથે સાથે હવે રામ જન્મભૂમિ અયોધ્યા (Ram Janmabhoomi Ayodhya)માં પણ સારૂ એવું રોકાણ કરી રહ્યાં છે. મહાનાયકે અયોધ્યા (Ayodhya)માં પહેલા પણ ત્રણ પ્લોટ ખરીદ્યા હતા, ત્યારે હવે ફરી ચોથો પ્લોટ ખરીદ્યો હોવાનું મીડિયા રિપોર્ટ્સ દ્વારા જાણવા મળ્યું છે. જેથી અભિતાભ બચ્ચન પાસે હવે રામ જન્મભૂમિ અયોધ્યામાં કુલ ચાર પ્લોટ થઈ ગયાં છે.
મહાનાયકે અયોધ્યામાં 25,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો
મહાનાયક અમિતાભ બચ્ચને ફરી અયોધ્યામાં 25,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે, જેની કિંમત 40 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આ પ્લોટ સરયુ નામના એક ઉચ્ચ કક્ષાના રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટની નજીક હોવાનું રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. આ જ જગ્યાએ અગાઉ પણ અમિતાભે રોકાણ કર્યું હતું. અમિતાભ બચ્ચને તાજેતરમાં જ રિયલ એસ્ટેટ ફર્મમાં દરેક 10 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ગયા વર્ષે અમિતાભ બચ્ચને રામ મંદિરના ઉદ્ઘાટન પહેલા શહેરમાં 5,372 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેના માટે તેમણે 4.54 કરોડ રૂપિયા ચૂકવ્યા હતાં.
આ જમીન પર પિતા માટે એક સ્મારક બનાવવા માંગે છે મહાનાયક
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બચ્ચને જે 54,000 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો, તે તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના ટ્રસ્ટ હેઠળ નોંધાયેલ છે. અહીં અભિનેતા આ જમીન પર તેમના પિતા માટે એક સ્મારક બનાવવાની યોજના બનાવી રહ્યા છે. નોંધનીય છે કે, અમિતાભ બચ્ચને જમીનોમાં કરોડો રૂપિયાનું રોકાણ કર્યું છે. આ સાથે સાથે વિદેશોમં પણ મહાનાયકે સારૂ એવું રોકાણ કરી રહ્યું છે. બચ્ચન પરિવાર પણ સારુ એવું રોકાણ કરે છે. 2024માં અભિષેક બચ્ચને 25 કરોડ રૂપિયામાં 10 એપાર્ટમેન્ટ ખરીદ્યા હતાં. અમિતાભ બચ્ચન પાસે સંયુક્ત રીતે 1,578 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાનું ચર્ચાય છે.
આ પણ વાંચો….અમિતાભ બચ્ચનને શું થયું છે, ફેન્સે પૂછ્યું ડોક્ટર શું કહી રહ્યા છે, ક્યાં સુધી ઠીક થશો?