અભિનેત્રી શેફાલી જરીવાલાનું અકાળ અવસાન, 15 વર્ષ સુધી લડી આ અકળ બીમારી સામે

મુંબઈઃ શેફાલી જરીવાલાનું ગઈ કાલે રાત્રે નિધન થયું છે. એવું જાણવા મળ્યું છે કે, તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, તેના કારણે મોત થયું છે. શેફાલીનું અચાનક મોત થયું હોવાના સમાચાર સાંભળી બોલિવુડમાં ભારે શોકનો માહોલ છવાયો છે. પરંતુ શું તમને ખબર છે શેફાલીને બાળપણથી જ એક બીમારી હતી. શેફાલીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની આ બીમારી વિશે લોકોને જણાવ્યું અને લોકોને જાગૃત કર્યાં હતા.
શું તમને ખબર છે શેફાલીને બાળપણથી જ એક બીમારી હતી?
શેફાલીને પહેલા વઈ આવતી હોવાનું પણ જાણવા મળ્યું હતુ. શેફાલીએ એક ઇન્ટરવ્યૂમાં આ વિશે જણાવ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, ‘મને 15 વર્ષની ઉંમરે વાઈના હુમલાનો હુમલો આવ્યો હતો. મને યાદ છે કે તે સમયે મારા પર અભ્યાસમાં સારું પ્રદર્શન કરવા માટે ઘણું દબાણ હતું. તણાવ અને ચિંતા હુમલાનું કારણ બની શકે છે. તે એકબીજા સાથે જોડાયેલું છે, ડિપ્રેશનને કારણે તમને હુમલા થઈ શકે છે અને તેનાથી વિપરીત પણ થઈ શકે છે’ શેફાલીએ તે જ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને શાળાના વર્ગખંડમાં, રસ્તા પર ચાલતી વખતે, ગમે ત્યાં હુમલા આવતા હતા. આનાથી તેનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો હતો.
શેફાલી 15 વર્ષ સુધી આ બીમારી સામે લડી
શેફાલીએ કહ્યું હતું કે, તેના આ રોગને કારણે તે ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં વધુ દેખાતી નહોતી. હવે તે તેના હુમલાના રોગ વિશે વાત કરી શકે છે. પરંતુ તે સમયે તેના માટે આ વિશે વાત કરવી મુશ્કેલ હતી. તે 15 વર્ષ સુધી આ બીમારી સામે લડી. પરિવારના ટેકાને કારણે તે આ રોગમાંથી જાતે જ સાજા થઈ શકી. ત્યાર બાદ અભિનય કળામાં તેનો ઉદય થયો અને 2002માં રિલીઝ થયેલા આઇકોનિક મ્યુઝિક વીડિયો ‘કાંટા લગા’માં તેના નૃત્યે તેને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી હતી. જો કે, ગઈ કાતે મોડી રાત્રે તેનું અવસાન થયું છે. ફિલ્મ સમીક્ષક વિક્કી લાલવાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેફાલીના મૃત્યુની પુષ્ટિ કરી છે.
આ પણ વાંચો…અભિનેત્રી શેફાલી જરીવાલાનું નિધન! 42 વર્ષની ઉંમરે હૃદયરોગનો હુમલો આવ્યો