મનોરંજન

એ 28 દિવસઃ રિયા ચક્રવર્તીએ ત્રણ વર્ષ પછી યાદ કર્યા એક દિવસો


જેલવાસ કોઈની માટે યાદ કરવા જેવો અનુભવ તો ન જ હોય. રીઢા ગુનેગારોને બાદ કરીએ તો કોઈપણ સામાન્ય વ્યક્તિ જો જેલમાં ગઈ હોય તો તે દિવસોને યાદ કરી કાંપી જ ઉઠે. આવું જ અભિનેત્રી રીયા ચક્રવર્તીનું પણ છે. તાજેતરમાં એક કાર્યક્રમમાં તેણે પોતાના જેલવાસના 28 દિવસો વિશે ખૂલીને વાત કરી હતી.

જલેબી, સોનાલી કેબલ, હાફ ગર્લફ્રેન્ડ, મેરે પપ્પા કી મારુતિ જેવી બોલિવૂડ ફિલ્મોથી પોતાની ઓળખ બનાવનાર રિયા ચક્રવર્તી ફિલ્મોથી નહીં પણ પોતાના જેલવાસ અને તેની સાથે જોડાયેલી ઘટનાઓને લીધે વધુ લાઈમલાઈટમાં આવી. કોરોનાકાળ દરમિયાન 14 જૂન, 2020 ના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીને ચાહકો અને મીડિયા કવરેજ દ્વારા ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, સુશાંત માટે ડ્રગ્સ ખરીદવાના આરોપમાં તેને 28 દિવસ સુધી ભાયખલા જેલમાં રહેવું પડ્યું હતું. હવે આ ઘટનાના 3 વર્ષ બાદ અભિનેત્રીને એ દિવસો યાદ આવ્યા છે.

ધીમેધીમે સામાન્ય જીવન તરફ આવતી અભિનેત્રીએ તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન જેલમાં વિતાવેલા તેના સમય વિશે વાત કરી અને તે દિવસોને નરકમાં ગુજારેલા દિવસો તરીકે ગણાવ્યા. ઇન્સ્ટાગ્રામ પર તેણે શેર કરેલા વીડિયોમાં તેણે કહ્યું કે તમને મૂળભૂત રીતે સમાજમાંથી ફેંકી દેવામાં આવે છે અને એક નંબર તરીકે જેલમાં નાખવામાં આવે છે કારણ કે તમે સમાજમાં રહેવા માટે લાયક નથી. આ નિરાશાજનક છે. જોકે જેલમાં પોતાની સાથે રહેતી મહિલાઓ વિશે તેણે કહ્યું હતું કે તેઓ જાણે છે કે તે સુખ ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત કરવું. તેમની માટે સુખ રવિવારના સમોસા હોઈ શકે અને કોઈ તેમની માટે ડાન્સ કરે તો પણ તેઓ ખુશ થઈ જાય છે.

તે દિવસોને નરક ગણાવતા તેણે કહ્યું હતું કે સ્વર્ગ અને નરક આપણા મનમાં બે વિકલ્પો હોય છે જેને તમે પસંદ કરી શકો છે. દરેક વખતે સ્વર્ગ પસંદ કરવું શક્ય નથી. પણ લડત જે છે તે મનની છે. જો તમારામાં તાકાત હશે અને ઈચ્છાશક્તિ હશે તો તમે મનથી લડશો પણ ખરા અને જીતશો પણ ખરા.

અત્રે ઉલ્લેખનીય છે કે સુશાંતના મૃત્યુ બાદ રિયા પર સુશાંતના પરિવારે પણ આક્ષેપો કર્યા હતા અને તેને દોષી ઠેરવી હતી. આ કેસ સાથે ડ્રગ્સનો કેસ જોડવામાં આવ્યો હતો અને તેમાં ઘણી બોલીવૂડ સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવ્યા હતા. રિયાને 28 દિવસ જેલમાં રાખવામાં આવી હતી, પરંતુ બાદમાં તેને છોડી દેવામાં આવી હતી. હાલમાં રિયા ઝેરોધાના ચેરમેન નિખિલ કામત સાથે રિલેશનશિપમાં હોવાની વાતોએ પણ જોર પકડ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા