ધર્મતેજસ્પેશિયલ ફિચર્સ

ક્યારે છે સંકષ્ટી ચતુર્થી વ્રત, જાણો શુભ તિથિ, સમય અને પૂજાની રીત

સનાતન ધર્મમાં ગણપતિ બાપ્પાને પ્રથમ પૂજનીય દેવતા માનવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા કરવાથી તમામ કાર્યો શુભ બને છે. હિંદુ કેલેન્ડર મુજબ, વિઘ્નરાજ સંકષ્ટી ચતુર્થી વ્રત દર વર્ષે અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મહિનાની પૂર્ણિમા પછી આવતી કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિને સંકષ્ટી ચતુર્થી કહેવાય છે. આ દિવસે ગણપતિની પૂજા વિધિ-વિધાનથી કરવામાં આવે છે. ભગવાન ગણેશની સાચા મનથી પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે. ચાલો જાણીએ કે આસો મહિનાની સંકષ્ટી ચતુર્થી ક્યારે છે.

હિંદુ કેલેન્ડર મુજબ આ વર્ષે આસો મહિનાના કૃષ્ણ પક્ષની સંકષ્ટી ચતુર્થી 2જી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે સોમવારે ઉજવવામાં આવશે. પંચાંગ અનુસાર, અશ્વિન મહિનાની ચતુર્થી તિથિ 2 ઓક્ટોબર, 2023 ના રોજ સવારે 5:06 વાગ્યે શરૂ થશે અને 3 ઓક્ટોબર, મંગળવારે સવારે 3:41 વાગ્યે સમાપ્ત થશે. આમ સંકષ્ટી ચતુર્થી 2જી ઓક્ટોબરે ઉજવવામાં આવશે.
જ્યોતિષ શાસ્ત્રમાં સંકષ્ટી ચતુર્થીના દિવસે પૂજા કરવા માટે ખાસ પદ્ધતિ સૂચવવામાં આવી છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે સવારે વહેલા ઉઠવું જોઇએ અને પછી નિત્ય કર્મ પતાવી સ્નાન કરવું જોઈએ. આ પછી ભગવાન ગણેશની પૂજા વિધિ પ્રમાણે કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશનો અભિષેક કરવો જોઈએ. આ પછી, તેમને નવા વસ્ત્રો, પવિત્ર દોરો, ચંદન, લાલ ફૂલ અને માળા અર્પણ કરવી જોઈએ. બાપ્પાને તેમના પ્રિય મોદક ચઢાવવા જોઈએ અને બધા ભક્તોમાં પ્રસાદ વહેંચવો જોઈએ. પૂજા કરતી વખતે ઓમ ગં ગણપતયે નમો નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાત્રે ચંદ્ર ભગવાનની પણ પૂજા કરવી જોઇએ. છેલ્લે, દૂધ અથવા પાણીમાં અખંડ અને સફેદ ફૂલ ઉમેરીને ચંદ્ર ભગવાનને અર્ઘ્ય ચઢાવો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…