ધર્મતેજ

આચમન: મૃત્યુની પાર જઈ શકે એજ સંપત્તિ છે

સંપત્તિ ફક્ત એજ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે. જે મૃત્યુની પાર સાથે ન જઈ શકે એ વિપત્તિ જ હોઈ શકે

  • અનવર વલિયાણી

એક વખત નાનક એક ગામમાં મહેમાન બનીને ગયા. એક બહુ મોટા ધનવાને તેમની પાસે આવીને કહ્યું કે,

  • ‘મારી પાસે બહુ સંપત્તિ છે અને મારા મરવાનો સમય નજીક આવી રહ્યો છે. મારી બધી સંપત્તિ હું ધર્મ પાછળ વાપરવા ઈચ્છું છું…!’
  • નાનકે નીચેથી ઉપર સુધી તે વ્યક્તિને જોઈ અને કહ્યું,
  • ‘તું તો બહુ દરિદ્ર હોય એવું લાગે છે.’
  • ‘તારી પાસે કોઈ સંપત્તિ હોય એવું લાગતું નથી.’
  • નાનકની વાત સાંભળી ધનવાને કહ્યું,
  • ‘હું સાદા પોષાકમાં છું એટલે તમને એવું લાગ્યું હશે. મને કોઈ એવું કામ બતાવો જેમાં હું મારી સંપત્તિ વાપરી શકું…!’
  • નાનકે એક નાનકડી સોય તેને આપી કહ્યું,
  • ‘મૃત્યુ પછી તું આ સોય મને પરત કરી દેજે!’
  • તે માણસને નવાઈ લાગી.
  • પરત ફરતી વખતે તે આખા રસ્તામાં વિચારતો રહ્યો કે નાનક પાગલ થઈ ગયા છે અથવા તો તેમણે મારી સાથે મજાક કરી છે.
  • આખી રાત તેણે વિચાર્યું કે આ સોયને કેવી રીતે લઈ જઈશ? પણ કોઈ ઉપાય તેને મળતો ન હતો.
  • તેણે અનેક પ્રકારે મુઠ્ઠી બંધ કરવા પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ નીવડયું.
  • ધનવાનને આખી રાત ઊંઘ ન આવી.
  • તે સવારે વહેલા ઊઠી નાનક પાસે ગયો અને તેમના પગ પકડીને કહ્યું કે,
  • આ સોય પાછી લઈ લો.
  • હું મૃત્યુ પછી તેને પાછી આપી શકીશ નહીં!’
  • નાનકે કહ્યું,
  • ‘માણસ મૃત્યુ પછી સોય પણ સાથે લઈ જઈ શકે તેમ નથી, તો પછી તારી સંપત્તિનું શું થશે? એ તારી મદદ કરી શકે તેમ નથી? સોયને તારા શરીરમાં ક્યાંક છુપાવી દે…!’
  • ધનવાન બોલ્યો,
  • ‘આ સોયને મૃત્યુની પાર લઈ જવામાં મારી સંપત્તિ મદદરૂપ બની શકે નહીં.’

    આપણ વાચો: આચમનઃ હિન્દના મહાન સંત રામકૃષ્ણ પરમહંસ

‘મુંબઈ સમાચાર’ની દાયકાઓ જૂની આ ‘ધર્મતેજ પૂર્તિ’ના નાના મોટા સૌ વાચક શ્રદ્ધાળુ મિત્રો!

  • આ વાર્તા પરથી શીખ મળે છે કે,
  • સંપત્તિ ફકત એજ છે જેને મૃત્યુ નષ્ટ ન કરી શકે.
  • જે મૃત્યુની પાર સાથે ન જઈ શકે એ વિપત્તિ જ હોઈ શકે છે.
  • લોકો પુષ્કળ પ્રમાણમાં જમીન, મિલકત ભેગી કરે છે.
  • મિલકત ભેગી કરવા આંધળી દોટ મૂકે છે.
  • એ માટે ન કરવાનું પણ કરે છે.
  • તમે જરા વિચારો કે મરતી વખતે એમાંથી આપણે કેટલું સાથે લઈ જઈ શકવાના છીએ?
  • આ સનાતન એવા સત્યને બધા જાણે જ છે. છતાં તેને આચરણમાં, વ્યવહારમાં લાવવા તૈયાર થતા નથી. અમૃત સાધના લખે છે કે,
  • ‘ધર્મગુરુઓ દ્વારા આવા લોકોને શિખવાડવાનો અંદાજ અનોખો હોય છે.’

પ્રેરણાસ્ત્રોત:

  • સંગ્રહશીલ માણસ ક્યારેય લોકપ્રિય બનતો નથી, ને ઉદારદિલનો માણસ ક્યારેય અપ્રિય બનતો નથી.
  • જે રીતે ચંદનમાં સુગંધ રહે છે,
  • શેરડીમાં રસ રહે છે
  • તે રીતે
  • ભક્તમાં ભગવાન રહે છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button