મથુરાના બરસાનામાં રાધા અષ્ટમીની ઉજવણી દરમિયાન બે શ્રદ્ધાળુઓનાં મોત
મથુરા (યુપી): શનિવારે બરસાના વિસ્તારમાં રાધાઅષ્ટમીની ઉજવણી દરમિયાન ભક્તોના ભારે ધસારાને કારણે બે અલગ-અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત બે વૃદ્ધ તીર્થયાત્રીઓના મોત થયા હતા.શુક્રવાર રાતથી વધુ ભીડને કારણે ઘણા ભક્તોની સ્થિતિ બગડી હતી, કેટલાક અસ્વસ્થ યાત્રાળુઓને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા…
છેતરપિંડી કરવા બદલ અમેરિકામાં ગુજરાતીને દસ વર્ષની જેલ
વૉશિંગ્ટન: અમેરિકાના કોલોરાડો ડિસ્ટ્રિક્ટમાંની યુએસ એટર્નીની ઑફિસે 40 વર્ષીય ધ્રુવ જાનીને કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ કરવા બદલ દોષી ઠેરવ્યો હતો અને દસ વર્ષની જેલની સજા કરી હતી. આ ઉપરાંત, 11 લાખ ડૉલર પાછા આપવાનો ધ્રુવ જાનીને આદેશ આપ્યો હતો.ધ્રુવ…
ગુજરાતમાં ફળોના ભાવમાં ધરખમ વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભાદરવા મહિનાની શરૂઆતની સાથે જ હવે તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે. હાલમાં રાજ્યમાં ગણેશ ઉત્સવનું પર્વ ચાલી રહ્યું છે અને ગણેશ ઉત્સવના પર્વમાં પ્રસાદી માટે લોકો ફળનો ઉપયોગ વધુ કરતા હોય છે. રાજ્યમાં અચાનક જ…
ભવ્ય સ્વાગત સમારંભ દ્વારા એશિયન ગેમ્સનું ઉદ્ઘાટન
હાંગઝાઉ: અત્રે એશિયન ગેમ્સનો ઉદ્ઘાટન સમારંભ શનિવારે યોજાયો હતો. ઓર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને પર્યાવરણ-સાનુકૂળ તત્ત્વોના સંયોજનથી લાઇટ શૉ દીપી ઊઠ્યો હતો. એશિયાના લોકોની એકતા, આપથી પ્રેમ અને મિત્રતા તથા નવા યુગમાં ચીન, એશિયા અને વિશ્વના દેશોના ભાઇચારાને ધ્યાનમાં રાખી સમારંભની થીમ,…
- નેશનલ
રંગારંગ ઉદ્ઘાટન
19મી એશિયન ગેમ્સના ઉદ્ઘાટન વખતે ચીનના હેંગઝુ ઓલિમ્પિક સ્પોર્ટસ સેન્ટર સ્ટેડિયમમાં સ્થાનિક કલાકારોએ તેમના કરતબ રજૂ કર્યા હતા અને બીજી તસવીરમાં ભારતીય રમતવીરોની ટુકડી સ્ટેડિયમમાં પ્રવેશી ત્યારે દર્શકોએ તેને વધાવી લીધી હતી. (પીટીઆઈ)
2015 પછી લગભગ 4.46 લાખ લાપતા બાળકો શોધી કાઢવામાં આવ્યાં: સ્મૃતિ ઈરાની
નવી દિલ્હી: વર્ષ 2015 પછી શોધી કાઢવામાં આવેલા મોટા ભાગના બાળકોનું પરિવારો સાથે પુન:મિલન સંપન્ન કરાયું છે તેવું મહિલા અને બાળવિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ શનિવારે કહ્યું હતું. બાળ ગુનેગારોના વિષય પર હિતધારકોની વાર્ષિક સભાના ઉદ્ઘાટન સમારંભમાં વક્તવ્ય આપતા સ્મૃતિ ઈરાનીએ…
નવી શિક્ષણ નીતિમાં રમતગમતને મહત્ત્વ: મોદી
વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ `એક શિવશક્તિ પૉઇન્ટ ચંદ્ર પર અને બીજું કાશીમાં છે’ વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમ માટેની શિલારોપણ વિધિ કરી હતી, ત્યારબાદ જાહેરસભાને સંબોધી હતી ત્યારે તેમની સાથે મંચ પર ઉત્તર…
નિજ્જર ધાર્મિક નેતા નહીં, પણ આતંકવાદી હતો: ભારતની સ્પષ્ટતા
નવી દિલ્હી: ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજજર, જેની હત્યાથી ભારત અને કેનેડા વચ્ચે વિવાદ સર્જાયો છે, તે કોઈ ધાર્મિક અને સામાજિક વ્યક્તિ નહીં પરંતુ આતંકવાદી હતો, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.નિજજર આતંકવાદી તાલીમ શિબિરો ચલાવવા અને આતંકવાદી કૃત્યોને ભંડોળ પૂરું પાડવામાં…
મોદી વારાણસીમાં: સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થવાનું શ્રેય વડા પ્રધાન મોદીએ મહિલાઓને આપ્યું
વારાણસી: સંસદમાં મહિલા અનામત ખરડો પસાર થવાનું શ્રેય વડા પ્રધાન મોદીએ દેશની મહિલાઓને આપ્યું હતું. ઈતિહાસના પ્રત્યેક સમયગાળામાં મહિલાઓના નેતૃત્ત્વની શક્તિ અસરકારક નીવડી છે તેવું મોદીએ શનિવારે અત્રે એક જાહેરસભામાં કહ્યું હતું. સંર્પૂણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીના મેદાન પર નારી શક્તિ વંદન…
કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં એક બાળકી સહિત પાંચના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: સરહદી કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલી અલગ અલગ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક ચાર વર્ષની બાળકી સહિત પાંચ વ્યક્તિઓના અકાળે મોત નિપજતાં પંથકમાં શોક સાથે અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે. પ્રથમ ઘટનામાં અંજાર તાલુકાના ચાંદ્રાણી નજીક ધોરીમાર્ગ…