મારી ધરપકડ થશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે: મનોજ જરાંગે
છત્રપતિ સંભાજી નગર: જો મારી ધરપકડ કરવામાં આવશે તો કરોડો મરાઠાઓ ભૂખ હડતાળ કરશે એવો દાવો આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ ગુરુવારે કર્યો હતો. ત્રણ દિવસ પહેલા ઉપવાસ છોડ્યા પછી જરાંગે હાલ છત્રપતિ સંભાજી નગરની પ્રાઇવેટ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.…
શીના બોરા હત્યા પર આધારિત ડોક્યુમેન્ટ ફિલ્મ: હાઈ કોર્ટે કહ્યું સિરીઝમાં કંઈ વાંધાજનક નથી
મુંબઈ: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજુ થનાર ડોક્યુમેન્ટ સીરિઝ ’ધ ઈન્દ્રાણી મુખર્જી સ્ટોરી: ધ બરીડ ટ્રુથ’ વિરુદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલ અરજીને જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને મંજુષા દેશપાંડેની ડિવિઝન બેન્ચે ગુરુવારે ફગાવી દેતા કહ્યું હતું કે દસ્તાવેજ-શ્રેણીમાં કાર્યવાહી અથવા…
ડાયાબિટીસ, બીપી સહિતની અનેક બીમારીના દરદીઓને રાહત ૧૦૦ દવા સસ્તી થઇ
નવી દિલ્હી: ડાયાબિટીસ, હાયપરટેન્શન, તાવ, કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓ માટેની અનેક જીવનોપયોગી દવાઓ સસ્તી કરાઇ હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં. આ ઉપરાંત વિટામિન ડી-૩, કેલ્શિયમની ગોળીઓ પણ સસ્તી થશે. ટાઇપ ટુ ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એન્ટિબાયોટિક્સ, કફ સિરપ અને ડિપ્રેશનની વિવિધ દવાઓ કિંમત…
ગુજરાતમાં બે સેમિકંડક્ટર યુનિટ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી
ધોલેરા અને સાણંદમાં પ્લાન્ટ નખાશે નવી દિલ્હી : સરકારે ગુરુવારે ૧.૨૬ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ગુજરાતમાં ધોલેરા અને સાણંદ તેમ જ આસામમાં સેમિક્ધડકટરના કુલ ત્રણ યુનિટ શરૂ કરવાના પ્રસ્તાવો મંજૂર કર્યા હતા. ૧૦૦ દિવસની અંદર એકમનું બાંધકામ શરૂ થશે એવી…
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને બખાં
મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો ક ૪.૪૫ લાખ કર્મચારીઓ અને ૪.૬૩ લાખ પેન્શનર્સને લાભ મળશે (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં જુલાઈ ૨૦૨૩થી ચાર ટકાનો વધારો કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણયથી ૪.૪૫ લાખ કર્મચારીઓને મોંઘવારી ભથ્થાનો લાભ મળશે.…
મુંબઈ, સુરત ધડાકાના આરોપીનો પુરાવાના અભાવે છુટકારો
અજમેર: ટાડા કોર્ટે ૧૯૯૩ના શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. ૫-૬ ડિસેમ્બર, ૧૯૯૩ની રાત્રે લખનઊ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈમાં વિસ્ફોટોનું આયોજન કરવા બદલ ટુંડા અને અન્ય બે આરોપી, ઈરફાન ઉર્ફે પપ્પુ અને હમીરુદ્દીન સામે…
મોબાઈલ ફોન કંપનીઓ નફા પર ટીડીએસ ન કાપે: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી: ડિસ્ટ્રીબ્યૂટરો અને ફ્રૅન્ચાઈઝીઓને મોબાઈલ ફોનના વપરાશકર્તાઓને પ્રિ-પેઈડ કૂપન અને સિમ કાર્ડનું વેચાણ કરી થતા નફા પર ટીડીએસ ન કાપવાનો સુપ્રીમ કોર્ટે મોબાઈલ ફોન કંપનીઓને આદેશ આપ્યો છે. આવકવેરા ખાતા અને ટેલિકોમ ઑપરેટર ભારતી એરટેલ લિ. (બીએએલ) દ્વારા કરવામાં…
ધો.૧૦ની પરીક્ષા માટે હોલટિકિટ જાહેર: પરીક્ષા ૧૧ માર્ચથી શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષા આગામી ૧૧મી માર્ચથી શરૂ થવાની છે. ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની હોલ ટિકિટ જાહેર કરવામાં આવી છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ…
જૂનાગઢ તરલ ભટ્ટ તોડકાંડ મુંબઇથી લઇને દુબઇ સુધી સેટિંગ ચાલતું હતું
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: મેગાસિટી અમદાવાદથી વિવાદાસ્પદ ભૂમિકા બાદ જૂનાગઢમાં ખસેડાયેલા પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટ તોડકાંડની તપાસનો રેલો અમદાવાદ, મુંબઇ અને છેક દુબઇ સુધી ફેલાયો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. આ તોડકાંડમાં લીંક દ્વારા કામ કરવામાં આવતું હતું, તેમ જ તરલ ભટ્ટના…
મુંદરા પોર્ટના કમિશનરે ત્રણ કસ્ટમ બ્રોકરનાં લાઇસન્સ રદ કરી દીધા
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: દેશના કેટલાક આયાતકારો દ્વારા કરોડોની ડ્યૂટી ચોરી કરીને સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું હોવાના સતત બહાર આવી રહેલા કિસ્સાઓ વચ્ચે લાંચકાંડ બાદ શંકાના દાયરા હેઠળના મુંદરા કસ્ટમ તંત્રએ તાજેતરમાં મિસ ડિકલેરેશન થકી ઘુસાડવામાં આવેલો સોપારીનો પોણા…