નામાંકન દાખલ કરતા પહેલા 13 મેના રોજ PM મોદી કરશે……

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 મેના રોજ વારાણસી લોકસભા સીટ પરથી ઉમેદવારી નોંધાવશે. આ પહેલા 13 મેના રોજ તેઓ વારાણસીમાં રોડ શો કરશે. વારાણસી લોકસભા સીટ માટે 1 જૂન 2024ના રોજ મતદાન થશે. પીએમ મોદી વારાણસી બેઠક પરથી ચૂંટણી લડશે. ભાજપે પીએમ મોદીના રોડ શો અને નોમિનેશનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ મોદી 13 મેના રોજ બપોરે વારાણસી પહોંચશે. તેઓ કાશીમાં લંકા ચોક પર મદન મોહન માલવીયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ રોડ શો કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીનો રોડ શો લગભગ 4 કિલોમીટર લાંબો હશે.
વારાણસી લોકસભા સીટ માટે નામાંકન ભરવાનું કામ 7 મેથી શરૂ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પરથી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પોતાના ઉમેદવાર બનાવ્યા છે. 2014 પછી નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ વારાણસીના લોકોનું જોરદાર સમર્થન મળ્યું હતું.
આપણ વાંચો: Loksabha Election 2024 : પીએમ મોદી 7 મેના રોજ અમદાવાદના રાણીપમાં મતદાન કરશે
પીએમ નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી હતી. અગાઉ 2009માં યોજાયેલી ચૂંટણીમાં અહીંથી ડૉ.મુરલી મનોહર જોશી સાંસદ હતા. વારાણસી લોકસભા મતવિસ્તારમાં પાંચ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે – રોહાનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ, સેવાપુરી.
2019ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી. તેમને 674664 મત મળ્યા, જ્યારે સપાના શાલિની યાદવ 1,95,159 મતો સાથે બીજા ક્રમે અને કોંગ્રેસના અજય રાય 1,52,548 મતો સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. 2011ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર, વારાણસીની વસ્તી લગભગ 37 લાખ હતી. વારાણસીની 75.60 ટકા વસ્તી સાક્ષર છે. આમાં પુરુષોનો સાક્ષરતા દર 83.78 ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 66.69 ટકા છે.